ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ લખ્યું - આ વખતે ઈમાનદાર સરકાર બનાવવા સૌ ગુજરાતીઓ મક્કમ છે!!


  • Published By :
  • Published Date : 2022-10-22 16:10:04

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં ઉતરી છે. આપ પણ પોતાનો પ્રચાર કરવામાં પાછી નથી પડી રહી. સોશિયલ મીડિયાનો આપ પણ એકદમ એક્ટિવ થઈ ઉપયોગ કરી રહી છે. ત્યારે આ વખતે ભાજપ માટે એવું ચાલી રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી. આ વાતનો ફાયદો રાજકીય પાર્ટી ઉઠાવી રહી છે. આમ આદમી પાર્ટીએ એક ટ્વિટ કરી છે જેમાં રંગોળીમાં એક વ્યક્તિએ આમ આદમી પાર્ટીનો લોગો દોર્યો છે.

  

રંગોળીનો ફોટો શેર કરી ભાજપ પર આડકતરી રીતે કર્યા પ્રહાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ માટે આ વખતે લોકો કહી રહ્યા છે કે આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ  તારી છેલ્લી દિવાળી. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપને નિશાન સાધતું ટ્વિટ કર્યું હતું. હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આપણે ત્યાં રંગોળી કરવામાં આવે છે. રંગોળીમાં અલગ અલગ ડિઝાઈન કરવામાં આવે છે ત્યારે એક વ્યક્તિએ રંગોળીમાં આપનો લોગોની ડિઝાઈન કરી હતી. જેની આપે ટ્વિટ કરી છે.                     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.