ઠાસરા અપડેટ : શિવજીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા મામલે આટલા લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-16 15:47:30

ગઈકાલથી દરેક જગ્યા પર ખેડા જિલ્લાના ઠાસરામાં થયેલા પથ્થરમારાની વાતો થઈ રહી છે. ખેડા જિલ્લાના ઠાસરામાં શ્રાવણી અમાસ નિમિત્તે શિવજીની શોભાયાત્રા નિકળી હતી. શોભાયાત્રામાં અચાનક પથ્થરમારો થતા માહોલ ગરમાયો હતો. આ પથ્થરમારામાં બે પોલીસ જવાન અને 1 પીએસઆઈ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે અત્યાર સુધી 11 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

 પોલીસે આ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં બે કાઉન્સિલર પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા નામો આ પ્રમાણે છે - 1. મહંમદ અબરાર રિયજુદિંન સૈયદ (કાઉન્સિલર), 2. રુક્મુદ્દીન રિયાકત અલી સૈયદ (કાઉન્સિલર), 3. અસ્પાકભાઈ મજીમ મિયાં બેલીમ, 4. જયીદ અલી મહંમદ અલી સૈયદ, 5. ફિરોઝ મજીદ ખાન પઠાણ, 6. સૈયદ નીયાજઅલી મહેમુદઅલી, 7. પઠાણ ઈમરાન ખાન અલી ખાન, 8. સૈયદ ઈર્શાદ અલી કમર અલી, 9. સૈયદ શકીલ અહેમદ આસિફ અલી, 10. મલેક સબીર હુસેન અહેમદ મિયા, 11. જુનેદ.

ઘટના બાદ ગોઠવી દેવાયો હતો ચૂસ્ત પોલીસબંદોબસ્ત 

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે અનેક જગ્યાઓ પર શિવજીની શોભાયાત્રા નીકળતી હોય છે. ત્યારે ખેડા જિલ્લાના ઠાસરામાં પણ શ્રાવણી અમાસ નિમિત્તે શિવજીની શોભાયાત્રામાં અચાનક પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યું હતું. શિવજીની શોભાયાત્રા દરમિયાન બે કોમના લોકો સામેસામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તો સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લાની LCB,SOG સહિતનો કાફલો ઠાસરા જવા રવાના થયો છે. ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા ડીવાયએસપી પણ ઠાસરા આવી પહોંચ્યા હતા. પોલીસે ચાંપતો બંદોબસ્ત હાલ સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે. શિવજીની સવારી પર પથ્થરમારો કરનારા સામે પોલીસે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે કરફ્યુના કારણે અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે.   

 શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ મામલે અલગ-અલગ ત્રણ ફરિયાદો નોંધાઈ છે. શોભાયાત્રાના સંગઠન દ્વારા પણ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદોમાં પથ્થરમારાની વિવિધ ઘટનાઓ સહિત નામજોગ ફરિયાદ કરવામાં આવી છે.

2 પોલીસ જવાન, 1 PSI ઘાયલ


ઠાસરામાં શિવજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા દરમિયાન મોટા પથ્થરો અને ઇંટો ફેંકાતા 2 પોલીસ જવાન, 1 PSI ઘાયલ થયા છે. પથ્થરબાજોને શોધવા ઠાસરામાં કોમ્બિંગ શરૂ કર્યું છે. ડાકોર, સેવાલિયાથી પણ ઠાસરામાં પોલીસ બોલાવાઈ હતી. આખું ઠાસરા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પથ્થરમારા બાદ ઠાસરાના બજારો બંધ કરી દેવાયા હતા. સમગ્ર ખેડા જિલ્લાની પોલીસ ઠાસરામાં તૈનાત કરી દેવાઇ છે. તોફાની તત્વોએ મહાદેવની સવારી સાથે ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. 


કઈ રીતે શાંતિ ડહોળાઈ?


જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ  ઘટના બાબતે જણાવ્યું હતું કે ઠાસરા શહેરના વાડોદ રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવજીની શ્રાવણના છેલ્લા દિવસે એટલે અમાસના રોજ પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા બપોરે નીકળી ડીજેના તાલ સાથે શહેરના બજાર વિસ્તાર એવા જુના બસ સ્ટેન્ડ પાસે આવી પહોંચી હતી. બપોરે 1:00 વાગ્યે આ નીકળેલી શોભાયાત્રામાં લગભગ 700 થી 800 માણસો હતા. જેમાં લોકલ પોલીસ સાથે ડિવિઝન પોલીસનો બંદોબસ્ત પણ હતો. આ શોભાયાત્રા ઠાસરા નગરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા છુટા ઈંટો મારવામાં આવી હતી, આથી ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. આ દરમિયાન શોભાયાત્રામાં એકાએક પથ્થરમારો થતાં શોભાયાત્રામાં હાજર ભક્તોમાં નાસભાગ મચી જવા પામી હતી. પથ્થરમારો થતાં ભારે અફડાતફડીના દ્રશ્યો સર્જાયા હતા. આ શોભાયાત્રા ઠાસરા નગરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા છુટી ઈંટો મારવામાં આવી હતી. ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. શોભાયાત્રામાં પોલીસના બે કોન્સ્ટેબલ અને એક પીએસઆઇ ઈજા પહોંચી છે. આ મામલે પોલીસે ત્વરીત કામગીરી કરી છે. 11 લોકો વિરૂદ્ધ આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!