અમેરિકામાં ફરી બેફામ ફાયરિંગ, ટેક્સાસના મોલમાં થયેલા ગોળીબારમાં 8 લોકોના મોત, 7 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-05-07 13:54:31

અમેરિકાના ટેક્સાસમાં એક હુમલાખોરે ગોળીબાર કરીને 8 લોકોની હત્યા કરી નાખી છે. આ ગોળીબાર મોલમાં એ સમયે થયો હતો જ્યાંરે મોટી સંખ્યામાં લોકો વીકએન્ડ શોપિંગ માટે આવ્યા હતા. એલન શહેરની ભયાનક ઘટનામાં એક બાળકનું પણ મોત થયું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરે અચાનક જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોર પણ માર્યો ગયો છે. એવું માનવામાં આવે છે કે આ ઘટના તેણે એકલા હાથે કરી હતી. હાલ હોસ્પિટલમાં સાત લોકો સારવાર હેઠળ છે જેમાંથી ત્રણ મહિલાઓની હાલત નાજુક છે.


લોકોના ઘટના સ્થળે જ મોત  


એલન સિટીના ફાયર ચીફ જોનાથન બોયડે જણાવ્યું હતું કે હુમલાખોર સહિત કેટલાક લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા છે. એલનના પોલીસ વડા બ્રાયન હાર્વેએ જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળીને એક પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરને ઘેરી લીધો હતો. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું છે કે આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.


ગવર્નર ગ્રેગ એબોટે 'અકથ્ય દુર્ઘટના' ગણાવી હતી. તેમણે કહ્યું કે પોલીસ સ્થાનિક અધિકારીઓને તમામ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. પોલીસે મોલમાં આવેલા લોકોને ઘટના સમયે બનાવેલા વીડિયો માટે પૂછ્યું છે. આવા લોકોને FBIનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.



એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.