ગણપતિ પંડાલમાં TET TAT પાસ શિક્ષકોએ BJPના ધારાસભ્યોને કરી રજૂઆત, ગઈકાલે ગણેશજીને કરી હતી રજૂઆત જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-23 14:31:11

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે. જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે સરકારને વિવિધ પ્રકારે રજૂઆત કરી રહ્યા છે. સરકાર પોતાની વાત પર મક્કમ છે તો ઉમેદવારો પોતાના આંદોલન પર મક્કમ છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં પોતાના માગની રજૂઆત શંકર ભગવાન સામે ઉમેદવારોએ કરી હતી. ત્યારે હમણાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. આ સમયે ઉમેદવારોએ વિધ્નહર્તાના રજૂઆત કરી હતી. ગણેશ પંડાલમાં આજે ઉમેદવારોએ રમેશ ટિલાળા અને ભાનૂબેન બાબરિયા સાથે મુલાકાત કરી હતી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારોએ રજૂઆત કરી હતી. ગઈકાલે ગણપતિ બાપાના ન્યાયાલયમાં ટેટ ટાટ પાસ શિક્ષકોએ ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના સામે ફરિયાદ કરી છે. 


ગણપતિ બાપ્પાની અદાલતમાં ઉમેદવારોએ કરી રજૂઆત 

ગણપતિ બાપ્પાને વિધ્નહર્તા દેવ કહેવામાં આવે છે. ભક્તોના વિધ્નો બાપ્પા દૂર કરે છે. ત્યારે ટેટ-ટાટના ઉમેદવારોએ ભગવાન ગણેશ આગળ પોતાના મુદ્દાને રજૂ કર્યો હતો. વિવિધ સ્થળો પર ગણેશ પંડાલનું આયોજન થતું હોય છે. અલગ અલગ થીમ પર ગણેશ પંડાલમાં ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ટેટ-ટાટના ઉમેદવારો ગણપતિ બાપ્પાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગણપતિ બાપાના મંડપમાં જો કે એ મંડપ ન હતો ન્યાયાલય હતી જેમાં તેમણે ગુજરાત સરકાર સામે ફરિયાદ નોંધાવી છે. આ સિવાય વિરોધ નોંધાવી પૂજા કરીને તેમણે પોતાની રજૂઆત બાપ્પાને કરી હતી. 


અનેક વખત શિક્ષણ મંત્રીને કરી છે આ અંગે રજૂઆત 

મહત્વનું છે કે શિક્ષણ વિભાગની પરિસ્થિતિ કથળી રહી છે. ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગ અપનાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રી સહિતના પદાધિકારીઓને પત્ર લખ્યો હતો. પરંતુ તેમની રજૂઆત કોઈએ સાંભળી ન હતી. સંતોના શરણે પણ ઉમેદવારો ગયા હતા. શિવજીને પણ તેમણે પત્ર લખી રજૂઆત કરી હતી. પંરતુ તેમની રજૂઆતનો કોઈ ઉકેલ નથી આવ્યો. ત્યારે હવે ઉમેદવારો ગણપતિ દાદાની કોર્ટમાં પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ ઉમેદવારો ગણેશ પંડાલમાં મળ્યા હતા અને રજૂઆત કરી હતી. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!