Gujaratમાં કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે TET-TAT પાસ ઉમેદવારો કાલે કરશે ગાંધીનગરમાં આંદોલન, Jignesh Mevaniએ લોકોને કરી આ અપીલ, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-06-17 14:14:56

શાળામાં નવા શેક્ષણિક કાર્યનો આરંભ થઈ ગયો છે.. ભણવા માટે બાળકો તો શાળામાં આવે છે પરંતુ ત્યાં શિક્ષકો નથી હોતા.. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ.. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતીની માગ તેઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી હતી ત્યારે હવે જિગ્નેશ મેવાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આને લઈ વાત કરી રહ્યા છે.. 

જીગ્નેશ મેવાણીએ લોકોને અપીલ કરતા કહ્યું કે.. 

આવતી કાલે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવાના છે... ત્યારે આને લઈ જિગ્નેશ મેવાણીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું તંત્ર કેટલું ખાડે ગયું છે તે આપણે જાણીએ છીએ. 70 હજારની ઘટ વિશે છાપાના મિત્રો ફ્રન્ટ પેજ પર ન્યુઝ બનાવી રહ્યા છે, છતાંય આ બહેરી સરકારના પેટનું પાણી હલતું નથી.. ટેટ ટાટ જેણે પણ પાસ કરી તે ઉમેદવાર મિત્રને નોકરી પર રાખવામાં આવે, કાયમી નોકરીએ  રાખવામાં આવે તે વાતને લઈ તેઓ 18મી તારીખે આંદોલન કરવાના છે. 



ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ... 

તે સિવાય તેમણે લોકોને આ આંદોલનમાં જોડાવા માટે વિનંતી કરી હતી. ગુજરાતની અંદર આ 70 હજાર શિક્ષકોની ઘટ ભરાવી જોઈએ તો જ ગુજરાત સાચા અર્થમાં પ્રગતિશિલ ગુજરાત બની શકશે..મહત્વનું છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કરી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી, અનેક વખત આંદોલન કરવામાં આવ્યું. પરંતુ હજી સુધી તેમનો અવાજ સરકાર સુધી પહોંચ્યો નથી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...     



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?