TET-TAT પાસ ઉમેદવારોએ લીધો Social Mediaનો સહારો, Video સામે આવ્યો જેમાં કહેવાયું કે 11 મહિનાના કરાર સાથે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-27 09:27:39

ગુજરાતમાં ભાવિ શિક્ષકો કાયમી શિક્ષકોની ભરતી થાય તેવી માગ સાથે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. 11 મહિનાના કરાર આધાર પર રાખવાના નિર્ણયનો વિરોધ ઉમેદવારો અલગ અલગ માધ્યમો દ્વારા કરી રહ્યા છે. પોતાની રજૂઆત કરવા અનેક વખત ગાંધીનગર ગયા છે પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક નાટક કર્યું હતું અને હવે એક નાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ઉમેદવારો પોતાની વેદના ઠાલવી રહ્યા છે.

અનેક મહિનાઓથી ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ 

એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ સરકાર શિક્ષકોની ભરતી નથી કરી રહી. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી થાય. 11 મહિનાના કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. પોતાની માગ સાથે ઉમેદવારો અડીખમ છે. જ્ઞાનસહાયકનો વિરોધ કરવા માટે અનેક વખત તેઓ ગાંધીનગર ગયા, અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી. મિટીંગ પણ થઈ સાંત્વના પણ આપી પરંતુ હજી સુધી તેમની માગનો નિવેડો નથી આવ્યો. 


સોશિયલ મીડિયાનો ઉમેદવારોએ લીધો સહારો 

ગાંધીનગર ખાતે જ્યારે જ્યારે આંદોલન કરવા માટે ઉમેદવારો જાય છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા જે વ્યવહાર કરવામાં આવે છે તેના વીડિયો આપણે જોયા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયમ માધ્યમનો ઉમેદવારો સહારો લઈ રહ્યા છે. અલગ અલગ રીતે આ જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. કોઈ વખત ડિગ્રીની આરતી ઉતારતો વીડિયો સામે આવે છે તો કોઈ વખત નાટક કરી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી છે.  




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.