TET-TAT પાસ ઉમેદવારોએ ઉતરાયણના દિવસે અનોખો વિરોધ નોંધાવ્યો, પતંગ પર સ્લોગન લખી ભરતીની માંગ કરી!


  • Published By :
  • Published Date : 2024-01-15 10:41:01

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે Tet Tat પાસ ઉમેદવારો કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને રદ કરી તેમની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અલગ અલગ રીતે અને વિવિધ રીતે પોતાનો વિરોધ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે . ઉત્તરાયણના દિવસે પણ ઉમેદવારોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો..


ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકો ભરતીની માગ

સરકાર સામે છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો શાળાઓમાં કાયમી શિક્ષક તરીકે તેમની ભરતી થાય તે માટે લડી રહ્યા છે. કરાર આધારિત ભરતી જ્ઞાનસહાયક યોજના રદ્દ કરવા અને કાયમી ભરતી અંગે આંદોલન કરી રહ્યા છે હવે આ ઉમેદવારો સોશિયલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અને અલગ ફોટોસ અને વિડિઓ બનાવી સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરો.


સ્લોગન લખી  ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ  

પતંગ ઉડાવવાનો દિવસ એટલે ઉતરાયણ...પણ ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ઉતરાયણના દિવસે પણ વિરોધ નોંધાવ્યો હતો. પતંગ પર સ્લોગન લખી પતંગ ઉડાવ્યા હતા. આ અલગ અલગ પતંગોમાં લખવામાં આવ્યું હતું કે જ્ઞાન સહાયક રૂપી કલંક હટાવો, શિક્ષકોની કાયમી ભરતી કરો સાથે સાથે બાળકોએ પણ પતંગ હાથમાં પકડી સોશિયલ મીડિયામાં ફોટોસ શેર કર્યા હતા જેમાં લખ્યું હતું કે અમારે ભણવું છે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરો 


સોશિયલ મીડિયાનાા સહારે છે ઉમેદવારો 

ટેટ ટાટ પાસ ઉમેદવારો હવે અનોખા પ્રકારના આંદોલનો કરી સરકારને કાયમી ભરતી કરવા માંગ કરી રહ્યા છે. અને હવે આ ઉમેદવારો જ્ઞાનસહાયક યોજનાનો વિરોધ કરવા સોશિયલ મીડિયાના સહારે છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.