TET- TAT પાસ ઉમેદવારો કાયમી નોકરી માટે આંદોલન કરે છે તો બાળકો શિક્ષકની માંગ કરે છે! બાળકે કરી ભુપેન્દ્ર દાદાને અપીલ કે... સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:34:20

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા માગ કરવામાં આવી રહી છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. શાળામાં શિક્ષકો જ નહીં હોય તો બાળકો ભણશે કેવી રીતે તેવા સવાલો ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા. ગાંધીનગરમાં થોડા દિવસ પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું જેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. આંદોલન બાદ સરકાર જાગી અને શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી.

ગાંધીનગર ઉમેદવારો પહોંચ્યા હતા રજૂઆત કરવા 

ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ગાંધીનગરમાં થોડા દિવસો પહેલા આંદોલન પણ કરવામાં આવ્યું. સચિવાલયને ઘેરવાનો પ્રયત્ન કર્યો, મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી. આ બધા વચ્ચે એક બાળકનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે બાળક ભૂપેન્દ્ર દાદાને અપીલ કરી રહ્યો છે કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે..   

દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં 

ગુજરાતની અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા. દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. આંદોલન વખતે જે દ્રશ્યો સામે આવ્યા હતા તે અત્યંત ચોંકાવનારા હતા. જે રીતે ઉમેદવારો સાથે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવતું હતું તે ચોંકાવનારૂં હતું.. ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરવામાં આવી તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.  




ભૂપેન્દ્ર દાદાને નાના બાળકે કરી આ અપીલ 

 પરંતુ આ બધા વચ્ચે એક બાળકનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યો છે. મહત્વનું છે કે આંદોલન થયા બાદ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી.. આ જાહેરાતને અનેક ઉમેદવારો લોલીપોપ જણાવી રહ્યા છે.   



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.