TET-TAT પાસ ઉમેદવારોના ફરી Gandhinagarમાં ધામા, કાયમી શિક્ષકની ભરતી માટેની માંગ સાથે આંદોલન! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-30 08:49:49

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારોના ધામા જોવા મળી રહ્યા છે. ઉમેદવારોની એક જ માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. 

કાયમી શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન! 

આપણે ત્યાં શિક્ષકોને ઉચ્ચ કોટિનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે ગુજરાતમાં શિક્ષકોની કમી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરી છે.  યુવરાજસિંહની આગેવાની હેઠળ દાંડી કૂચ પણ કાઢી હતી. તે ઉપરાંત વિવિધ તહેવારો પર વિરોધ પણ ઉમેદવારોએ દર્શાવ્યો છે. 


ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોના ધામા!

થોડા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હતા. કોઈ વખત પતંગ પર કાયમી શિક્ષકોની ભરતીની માગ લખી હતી તો કોઈ વખત ભગવાનને રજૂઆત કરી હતી. ત્યારે હવે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ધામા નાખ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.