TET-TATના ઉમેદવારો આવતી કાલે કરશે આંદોલન, કરાર આધારીત ભરતી નાબુદ કરવા ઉમેદવારોની માગ


  • Published By :
  • Published Date : 2023-07-17 16:25:48

આવતીકાલે ટેટ ટાટના વિદ્યાર્થીઓ અને પીટીસી કરેલા ભાવી શિક્ષકો અને શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે પોતાની માગ સાથે વિરોધ નોંધાવવાના છે.  હાલ ટેટ ટાટના ઉમેદવારોનો મામલો ચાલી રહ્યો છે. ગરમ દૂધના ઉફાણા આવે તેમ વિદ્યાર્થીઓનો રોષ છલકાઈ રહ્યો છે અને તે સરકાર સામે માગ કરી રહ્યા છે કે અમને કોન્ટ્રાક્ટવાળી નોકરી નહીં અમને કાયમી નોકરી જોઈએ છે. અમે અમારા જીવનના 10 કે 11 વર્ષ કોન્ટ્રાક્ટ વાળી નોકરી લેવા માટે નહોતા ગુજાર્યા. અમે મહેનત એટલા માટે નથી કરી કે અમને કોન્ટ્રાક્ટ વાળી નોકરી મળે. મુદ્દાની વિગતવાર વાત કરીએ તો હમણા ગુજરાત સરકારે ઠરાવ બહાર પાડ્યો છે કે 30 હજાર જેટલા શિક્ષકોની ભરતી થશે જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર હશે.


11 મહિનાના કરાર પર નોકરી મળશે

સરકારનો નિર્ણય આમ જોવા જઈએ તેમની જગ્યાએ રહીને તો સારો જ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષથી ભરતી બહાર નથી પડી. તો ઉમેદવાર શિક્ષકો જે સરકારી નોકરી મેળવીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં કામ કરવાના સપના જોઈ રહ્યા છે તેમના ઘરના સપના પૂરા થાય અને ગરીબ મા બાપે મહેનત બાદ ભણાવેલા છોકરાના ઘરમાં સરકારી આવક શરૂ થાચ... પણ થયું ઉલટું કારણ કે આ કાયમી નોકરી નથી, 11 મહિનાના કરાર પર નોકરી મળવાની છે.


કાયમી નોકરી માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ 

આ બધી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના છોકરાઓ કહી રહ્યા છે કે સરકારના નવા ઠરાવથી અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટની સમય મર્યાદાની વાત કરીએ તો 11 માસ સુધીનો આ કોન્ટ્રાક્ટ રહેશે પણ આ અગિયાર માસનો કોન્ટ્રાક્ટ કેટલા વર્ષો ચાલશે તેની અનિશ્ચિતતા છે એવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અને બે વર્ષ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવીને ત્રીજા વર્ષે કોન્ટ્રાક્ટ વાળી પ્રથા જ કાઢી નાખે તો હજારો શિક્ષકોના ઘરનો ચૂલો સળગતો ઠરી જશે. કરાર જ પૂરા કરી દેવામાં આવે તો તેમને તો શું લાઈન લેવી... માટે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.. બાકી ઉંમરનો પણ મુદ્દો છે કે વધારેમાં વધારે 35 વર્ષના ઉમેદવારો જ આમાં જઈ શકે છે તો એ એન્ગલથી જોવા જઈએ તો 2017માં જે 2600 લોકોની ભરતી કરવામાં આવી ત્યાર પછી કોઈ ખાસ મોટી ભરતી નથી કરવામાં આવી અને એ લોકો પણ હજુ લટકેલા જ છે.... એમને અત્યારે છેક મોકો મળ્યો છે તો બધા લોકો કોમ્પિટિશનમાં ભાગ લેવાના છે અને એ પણ કાયમી નોકરી માટે નહીં કોન્ટ્રાક્ટ વાળી નોકરી માટે...


ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કરશે સત્યાગ્રહ 

એવામાં તેમને અન્યાયની લાગણી થઈ રહી છે અને ઉમેદવારોએ ચીમકી આપી છે કે આવતીકાલે સવારે 10 વાગ્યે એ વ્યક્તિ જે શિક્ષક થવાના સપના જુએ છે તે ગુજરાતના ખૂણે ખૂણેથી ગાંધીનગગરના સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીચિંધ્યામાર્ગે સત્યાગ્રહ કરવા પહોંચવાના છે. જો કે તેમણે સુરક્ષા અને સેવા કરનાર પોલીસ પાસેથી પરવાનગી માગી છે કે નહીં તે ખબર નથી, જો પરવાનગી વગર આવી રીતે ધરણા કરવામાં આવશે તો લગભગ જેટલા પણ વિદ્યાર્થીઓ આવ્યા હશે તેમને જેલમાં પૂરી દેવામાં આવશે, 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.