TET-TATના ઉમેદવારો પહોંચ્યા ગણપતિ બાપ્પાના શરણે, Gujarat સરકારની બાપ્પાને કરી ફરિયાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 11:06:56

દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. બાપ્પાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ઠેર-ઠેર ગણપતિ પંડાલનું નિર્માણ થયું છે. ગણપતિ પંડાલમાં ન્યાયની માગ સાથે ટેટ-ટાટના ઉમેદવારો પહોંચી રહ્યા છે. વિવિધ રીતે અને અનોખી રીતે ભાવિ શિક્ષકો પોતાની વાતને સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.  ભક્તોની સાથે દ્વારે દ્વારે ન્યાયની માંગણી લઇ પહોંચતા રાજ્યના ભાવિ શિક્ષક ઉમેદવારો પોતાની વાત ગણેશજી અને સાથે નેતાજીઓને પણ પહોંચાડવા ગણેશ મંડપમાં પહોંચ્યા હતા, તેમની માંગ શું છે તે આપણી સાથે નેતાજી અને અધિકારીઓ જાણે જ છે, પણ એક આશામાં નીકળ્યા છે, દરેક શક્ય ઉપાયો કરી લેવા છે, ત્યારે પૂરતી સંખ્યામાં ફોર્મ ભરાયાના જવાબ સામે વિવિધ જિલ્લાઓમાં અવનવી રીતે સતત વિરોધ કરતા જ્ઞાનસહાયકો પણ જોવા મળી રહ્યા છે.

સાધુ સંતોને, સરકારી અધિકારીઓને ઉમેદવારોએ કરી છે રજૂઆત 

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સુધી તેમની વાતને, તેમની માગને પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. સાધુ,સંત અને શંકર બાદ જ્ઞાનસહાયકો પોતાની સહાય માટે શ્રી ગણેશના મંડપે પહોંચ્યા હતા, જ્યાં પોતાની માંગ મૂકી હતી, પ્રસાદ લઈને જતા ભક્તોની સામે આ જ્ઞાનસહાયકો પોસ્ટર લઈને આવ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ ટેટ-ટાટના ઉમેદવારોએ પોતાના વાતની રજૂઆત કરી હતી. 

 

શું ભગવાન ઉમેદવારોની કાયમી ભરતી કરાવે છે તે જોવું રહ્યું...

જ્ઞાનસહાયકો અમદાવાદ, રાજકોટ પાલનપુર જેવા મોટાભાગના શહેરોમાં આ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, આમાં રાજકોટમાં જ્ઞાનસહાયકો શ્રીજીની સાથે નેતાજીને પણ એક જ માંડવે મળી લીધું હતું, રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને રમેશ ટિલાળાને પણ મળ્યા હતા, હવે આ ધારાસભ્યો પર તેમની રજૂઆતની કોઈ અસર થાય છે કે નહિ તે જોવાનું રહ્યું, બાકી વિપક્ષના નેતાઓ અત્યરે તો જ્ઞાનસહાયકનો સાથ આપી રહ્યા છે, સચિવાલયમાં પણ પત્રો લખી રહ્યા છે, ભાજપના પણ 1-2 નેતાઓએ જ્ઞાનસહાયક મુદ્દે વિચાર કરવા જણાવ્યું હતું, પણ અત્યારે તો વિરોધ જ વધી રહ્યો છે, ઉપાય નથી મળી રહ્યા. હવે દસ દિવસ માટે પધારેલા ગણેશજી કાયમીભરતી કરાવે છે કે નહિ તે જોવું રહ્યું.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!