TET-TATના ઉમેદવારો પહોંચ્યા ગણપતિ બાપ્પાના શરણે, Gujarat સરકારની બાપ્પાને કરી ફરિયાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 11:06:56

દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. બાપ્પાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ઠેર-ઠેર ગણપતિ પંડાલનું નિર્માણ થયું છે. ગણપતિ પંડાલમાં ન્યાયની માગ સાથે ટેટ-ટાટના ઉમેદવારો પહોંચી રહ્યા છે. વિવિધ રીતે અને અનોખી રીતે ભાવિ શિક્ષકો પોતાની વાતને સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.  ભક્તોની સાથે દ્વારે દ્વારે ન્યાયની માંગણી લઇ પહોંચતા રાજ્યના ભાવિ શિક્ષક ઉમેદવારો પોતાની વાત ગણેશજી અને સાથે નેતાજીઓને પણ પહોંચાડવા ગણેશ મંડપમાં પહોંચ્યા હતા, તેમની માંગ શું છે તે આપણી સાથે નેતાજી અને અધિકારીઓ જાણે જ છે, પણ એક આશામાં નીકળ્યા છે, દરેક શક્ય ઉપાયો કરી લેવા છે, ત્યારે પૂરતી સંખ્યામાં ફોર્મ ભરાયાના જવાબ સામે વિવિધ જિલ્લાઓમાં અવનવી રીતે સતત વિરોધ કરતા જ્ઞાનસહાયકો પણ જોવા મળી રહ્યા છે.

સાધુ સંતોને, સરકારી અધિકારીઓને ઉમેદવારોએ કરી છે રજૂઆત 

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સુધી તેમની વાતને, તેમની માગને પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. સાધુ,સંત અને શંકર બાદ જ્ઞાનસહાયકો પોતાની સહાય માટે શ્રી ગણેશના મંડપે પહોંચ્યા હતા, જ્યાં પોતાની માંગ મૂકી હતી, પ્રસાદ લઈને જતા ભક્તોની સામે આ જ્ઞાનસહાયકો પોસ્ટર લઈને આવ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ ટેટ-ટાટના ઉમેદવારોએ પોતાના વાતની રજૂઆત કરી હતી. 

 

શું ભગવાન ઉમેદવારોની કાયમી ભરતી કરાવે છે તે જોવું રહ્યું...

જ્ઞાનસહાયકો અમદાવાદ, રાજકોટ પાલનપુર જેવા મોટાભાગના શહેરોમાં આ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, આમાં રાજકોટમાં જ્ઞાનસહાયકો શ્રીજીની સાથે નેતાજીને પણ એક જ માંડવે મળી લીધું હતું, રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને રમેશ ટિલાળાને પણ મળ્યા હતા, હવે આ ધારાસભ્યો પર તેમની રજૂઆતની કોઈ અસર થાય છે કે નહિ તે જોવાનું રહ્યું, બાકી વિપક્ષના નેતાઓ અત્યરે તો જ્ઞાનસહાયકનો સાથ આપી રહ્યા છે, સચિવાલયમાં પણ પત્રો લખી રહ્યા છે, ભાજપના પણ 1-2 નેતાઓએ જ્ઞાનસહાયક મુદ્દે વિચાર કરવા જણાવ્યું હતું, પણ અત્યારે તો વિરોધ જ વધી રહ્યો છે, ઉપાય નથી મળી રહ્યા. હવે દસ દિવસ માટે પધારેલા ગણેશજી કાયમીભરતી કરાવે છે કે નહિ તે જોવું રહ્યું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.