TET-TATના ઉમેદવારો ફરિયાદો લઈ Jamawat પહોંચ્યાં, સાંભળો Gandhinagar પોતાની રજૂઆત માટે જઈ રહેલા ઉમેદવારોની આપવીતી


  • Published By :
  • Published Date : 2023-08-25 11:37:46

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે TET-TATના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયક નીતિને નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારો ગાંધીનગર ગયા હતા. અનેક વખત સરકારને પોતાની રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ, અધિકારીઓ સુધી પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતી. કાયમી શિક્ષકની ભરતી કરવા માટે અનેક વખત સરકારને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે તે ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેમને રોકી લેવામાં આવતા હતા.

જમાવટની ઓફિસે પહોંચ્યા TET-TATના ઉમેદવાર

શિક્ષકો માટે આચાર્ય ચાણક્ય કહેતા હતા કે એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉન્કી ગોદમેં પલતે હેં... ત્યારે એવી પરિસ્થતિનું નિર્માણ થયું છે શિક્ષકો બનવા ઈચ્છુક ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર સુધી પોતાની વાતને રજૂ કરવા માટે યાત્રા પણ કાઢી હતી. ચાલીને સચિવાલય તે પહોંચવાના હતા. ગાંધીનગર સચિવાલય પહોંચે તે પહેલા જ પોલીસે તેમને રોકી દીધા હતા. સરકાર તો તેમનું સાંભળતી નથી. તો પોતાની રજૂઆતને લઈ ઉમેદવારો જમાવટની ઓફિસે આવ્યા હતા. પોતાની સમસ્યાને લઈ ઉમેદવારો આવ્યા હતા. સાંભળો ઉમેદવારોની વેદના... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.