TET-TATના ઉમેદવારોએ જ્ઞાન સહાયકનો વિરોધ તો કર્યો પણ સાથે સાથે ફોર્મ પણ ભર્યા? જાણો હજી સુધી કેટલા ફોર્મ ભરાયા?


  • Published By :
  • Published Date : 2023-09-07 16:31:38

છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે. જ્ઞાન સહાયક યોજના   જ્યારથી લાવવાની વાત શરૂ થઈ ત્યારથી TET-TATના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. પરંતુ જ્યારે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી ઉમેદવારોને એવું લાગ્યુ કે કોઈએ ફોર્મ નથી ભર્યા પણ આવું નથી. 23 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે.  

 23 હજારથી વધુ ઉમેદવારોએ ભરી દીધા છે ફોર્મ 

ગાંધીનગર ખાતે શિક્ષક દિવસના દિવસે ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા. રજૂઆત કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. એક તરફ અનેક ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. યોજનાને નાબુદ કરવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ અનેક ઉમેદવારો એવા છે જેમણે જ્ઞાન સહાયકનું ફોર્મ ભર્યું છે. ઉમેદવારોના વિરોધ વચ્ચે  શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોની ભરતી માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં અત્યાર સુધીમાં 23 હજારથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે.


11 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે 

ધોરણ 1થી 12 સુધી શિક્ષકોની જેટલી ખાલી જગ્યા છે, તેની સામે જ્ઞાન સહાયકની ભરતી માટે 23060 ઉમેદવારોએ અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઇન અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 11 સપ્ટેમ્બર છે, જ્યારે 6 સપ્ટેમ્બર બપોર સુધીમાં માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયક માટે 17,723 અને પ્રાથમિકના જ્ઞાન સહાયક માટે 5337 ઉમેદવારોની અરજી મળી છે.



ઉમેદવારોએ કરી હતી હનુમાનજીને રજૂઆત 

હજુ 11 સપ્ટેમ્બર સુધીમાં અરજી સ્વીકારવાની હોવાથી તેમાં વધારો થશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું એટલુંજ નહીં એવું પણ કહ્યું  જ્ઞાન સહાયકનો વિરોધ કરવાવાળા વિરોધ કરે છે, પણ વાસ્તવિકતા એ પણ છે કે, 23060 ઉમેદવારોએ ભરતી માટે અરજી કરી છે. રાજ્ય સરકારે પ્રવાસી શિક્ષકોની જગ્યાએ શિક્ષણની ગુણવત્તા સુધરે તેટલા માટે જ્ઞાન સહાયકની ભરતી કરવા જઈ રહી છે. જોકે ગઈ કાલે જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીના સરકારના નિર્ણય સામે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ડભોડિયા હનુમાનજી સમક્ષ પોતાનું આવેદન પત્ર મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવે જોવું રહ્યું કે આ સંઘ કાશીએ પહોંચે છે કે નહીં?



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!