TET-TATના ઉમેદવારોની છલકાઈ વેદના, લખ્યું' 12 પાસ વાળાની , તલાટીની અને LRDજેવી બધી જ ભરતી કાયમી ધોરણે થશે, પરંતુ...'


  • Published By :
  • Published Date : 2023-09-01 13:04:42

સામાન્ય રીતે આપણે લોકોને કહેતા સાંભળતા હોઈએ છીએ કે ભણવાનો કોઈ અર્થ નથી, તે ગમે તટેલું ભણી લો પરંતુ છેલ્લે તો તમારે નોકરી જ કરવાની છે. આવી વાતો અનેક વખત આપણે સાંભળી હશે, ત્યારે આવી જ વાત TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તો બીજા તરફ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવતી નથી. કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર જ્ઞાનસહાયકને નાબુદ કરે તેવી તેમની માગ છે. પોતાની રજૂઆત સરકાર સમક્ષ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરેક વખતે તેમને રોકી દેવામાં આવતા હતા.  


જમાવટને મળે છે અનેક રજૂઆત 

ત્યારે જમાવટની ઓફિસમાં ઉમેદવારો રજૂઆત કરવા આવતા હોય છે પરંતુ જમાવટના મોબાઈલ પર પણ આને લઈ અનેક મેસેજો આવતા હોય છે. ત્યારે એક મેસેજ અમને મળ્યો છે જેમાં ઉમેદવારે એક વ્યાજબી સવાલ પૂછ્યો છે. ભણવા પાછળ અનેક વર્ષો વિતાવ્યા પછી પણ, અનેક ડિગ્રી મેળવ્યા પછી પણ જો તેમને પોતાના ભવિષ્ય માટે લડવું પડતું હોય તો આ ભણતર શું કામનું? જે મેસેજ તેમણે મોકલ્યો છે તેને શબ્દસહ રાખવામાં આવ્યો છે. પોતાની વેદના રજૂ કરતી તેઓ કહી રહ્યા છે...

  

કેવી કરુણતાની વાત છે ગુજરાત રાજ્યની 

12 પાસ વાળાની , તલાટીની અને LRDજેવી બધી જ ભરતી કાયમી ધોરણે થશે.

સ્નાતક, અનુસ્નાતક, બી.એડ,એમ.એડ ,એમ.એસ.સી,એમ.કોમ અને દ્વી સ્તરીય ટેટ/ટાટ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓની 11 માસ ના કરાર પર ભરતી થશે...

વાહ વાહ મારું ગતિશીલ ગુજરાત..


બીજો એક મેસેજ પણ આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે 

નમસ્કાર સાહેબ શ્રી,       

ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.અને દેશના ભાવિને ઘડનાર, ખુદ શિક્ષકનું ભાવિ અંધરમય અને અસલામત ન બની જાય ,તેમજ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ તેમજ હજારો ભાવિ શિક્ષકોના સમૂહ હિતને ધ્યાનમાં લઈને જ્ઞાન સહાયક  યોજનામાં જરૂરી ફેરફાર કરીને ચોક્કસ સમય બાદ જ્ઞાન સહાયકને (હાલની વિદ્યા સહાયક યોજના મુજબ ) શિક્ષકને કાયમી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી.                          વિકસિત અને વિકાસશીલ એવા ગુજરાત રાજ્યમાં 11 માસ ના કરાર આધરતિ હંગામી જ્ઞાન સહાયક ભરતીના બદલે કાયમી શિક્ષક ભરતી કરવા માટે રાજ્યના હજારો ટેટ ટાટ પાસ ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો આપશ્રી સમક્ષ નમ્ર રજૂઆત કરી રહ્યા છીએ.       

- લિ. ટેટ ટાટ પાસ ઉમેદવારો



ઉમેદવારો કરતા રહે છે નેતાઓને કરાર પર રાખવાની વાત  

મહત્વનું છે કે અમે જ્યારે જ્યારે આ મુદ્દાને ઉઠાવ્યો છે ત્યારે ત્યારે ઉમેદવારો નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો નેતાઓને કરાર આધારિત રાખવામાં આવે તો તેમને ઉમેદવારોની પીડાનો અહેસાસ થાય. ઉલ્લેખનિય છે કે સારી નોકરી મેળવવા માટે અનેક વર્ષો સુધી તેમણે મહેનત કરી હોય, અનેક વર્ષો જિંદગીના શિક્ષક બનવા પાછળ આપ્યા હોય.


આગળ વધશે આંદોલન કે પછી થઈ જશે શાંત?

પરીક્ષા પણ પાસ કરી દીધી હોય પરંતુ જ્યારે નોકરી મેળવવાની વાત આવે ત્યારે તેમને કરાર પર રાખવામાં આવે છે. જ્ઞાનસહાયક નાબુદ થાય તેવી ઉમેદવારોની માગ છે. હવે જોવું રહ્યું કે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન કોઈ રંગ લાવે  છે કે નહીં? પોતાની લડત ઉમેદવારો ચાલુ રાખે છે કે નહીં તે તો સમય જ બતાવશે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!