જ્ઞાનસહાયકનો વિરોધ કરવા TET-TATના ઉમેદવારો ઉતર્યા રસ્તા પર, જો કાયમી ભરતી નહીં કરવામાં આવે તો... સાંભળો શેની ઉચ્ચારવામાં આવી ચિમકી?


  • Published By :
  • Published Date : 2023-09-04 08:58:01

કાયમી ભરતીની માગ કરી રહેલા TET-TATના ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં લાગે છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. હજી સુધી એવા વીડિયો સામે આવતા હતા જેમાં ઉમેદવારો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા હોય. ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ટેટ ટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. 

અનેક જગ્યાઓ પર ઉમેદવારોએ કર્યો જ્ઞાન સહાયકનો વિરોઘ 

એક તરફ ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના સહારે ચાલે છે. એક શિક્ષક જ શાળાની બધી જવાબદારી સંભાળી રહ્યા છે તો બીજી તરફ સરકારે જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જ્ઞાન સહાયક નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સુધી પોતાની માગ પહોંચાડવા ઉમેદવારો અલગ અલગ માધ્યમોથી વિરોધ દર્શાવી રહ્યા છે. ગુજરાતના અનેક ખુણાઓમાં ટેટ ટાટના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હનુમાનજીને પત્ર લખી પોતાની વેદના વ્યક્ત કરી હતી. તે સિવાય કોઈ સ્થળેથી આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. તો ક્યાંક રામધૂન બોલાવવામાં આવી હતી અને કાયમી ભરતી કરવામાં  આવે તેવી માગ કરવામાં આવી હતી.


જમાવટને અનેક વખત કરી છે ઉમેદવારોએ રજૂઆત 

મહત્વનું છે કે જમાવટને પણ ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી છે. જમાવટની ઓફિસે પોતાની વાત રજૂ કરવા જ્યારે ઉમેદવારો આવ્યા છે ત્યારે તેમની આંખોમાંથી આંસુ નિકળી પડ્યા છે. પોતાને પડતી મુશ્કેલી વિશે માહિતી આપતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી. પોતાના જીવનના આટલા વર્ષો શિક્ષક બનવા પાછળ આપ્યા, પરીક્ષામાં પણ પાસ થયા પરંતુ છેલ્લે તેમને મળી રહી છે કરાર આધારીત નોકરી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં  આવે તેવી તેમની માગ છે. હવે જોવું રહ્યું આ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.