TET-TATના ઉમેદવારોને મળ્યું YuvrajSinhનું સર્મથન, સાંભળો જ્ઞાન સહાયક પ્રોજેક્ટ વિશે શું કરી મહત્વની વાત!


  • Published By :
  • Published Date : 2023-08-21 14:29:37

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ લતત કથળી રહી છે. શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો માગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક વખત સરકારને આ મામલે રજૂઆત કરવા માટે પણ ગયા હતા પરંતુ તે રજૂઆત કરે તે પહેલા જ તેમને રોકી લેવામાં આવતા હતા. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પોતાની રજૂઆત કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પોલીસે રોકી દીધા હતા. 

ઉમેદવારોને મળ્યું યુવરાજસિંહનું સમર્થન  

કાયમી શિક્ષક બનવા ઈચ્છુક વિદ્યાર્થીઓની વ્હારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આવ્યા છે. જ્ઞાનસહાયક પ્રોજેક્ટ નાબુદ કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે જે ઉમેદવારો કાયમી શિક્ષક બનવા માંગે છે, જે જ્ઞાનસહાયક પ્રોજેક્ટનો વિરોધ કરે છે, તેમને પણ પોતાની વાત, પોતાની વ્યથાને રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવે, જે વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકો બનવા માગે છે તેમના સમર્થનમાં હું પણ છું.   


પોલીસની બેવડી નીતિ પર પણ ઉઠે અનેક સવાલ 

મહત્વનું છે કે અમે અનેક વખત એ મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે પોલીસને માત્ર ટેટ-ટાટના ઉમેદવારો જ દેખાય છે! તેમની વિરૂદ્ધ જ્યારે કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે તેમને પોતાની ફરજ એકાએક યાદ આવી જાય. વિરોધ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તરત પકડી લેવામાં આવે છે પરંતુ પોલીસ ત્યારે મૌન રહે છે જ્યારે બુટલેગર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત આવે. ઘણી વખત પોલીસને ખબર હોય છે કે દારૂ ક્યાં મળે છે, કોણ દારૂ વેચે છે પરંતુ ત્યાં કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે પોલીસ નિષ્ક્રીય થઈ જતી હોય છે. અને જ્યારે ટેટ-ટાટના ઉમેદવારો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે ત્વરિત પગલા લેવામાં આવે છે. પોલીસની આવી બેવડી નીતિ પર પણ અનેક સવાલ ઉભા થાય છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.