TET-TATના ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, હનુમાનજીને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-02 16:43:48

ગુજરાતમાં શિક્ષકોની કરાર આધારિત ભરતી નહીં પરંતુ કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તેવી વાત ઉમેદવારો કહી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી. અલગ અલગ માધ્યમથી ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે પણ અલગ અલગ જગ્યાઓ પર આંદોલન કરવામાં આવ્યા હતા. તાપીમાં શિક્ષકોની કાયમીભરતી કરવામાં આવે તેવી માગ સાથે ઉમેદવારો ગયા હતા અને જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચારી હતી.

રજૂઆત કરવા જતા ઉમેદવારોને અટકાવી દેવાતા 

ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી એક જ માગ કરી રહ્યા છે કે કાયમી ભરતી કરવામાં આવે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ ગયા હતા. તેમની વાત સાંભળવામાં આવી નહીં. પીએમ સુધી તેમણે પોતાની વાત રજૂ કરી. પરંતુ તેમની માગ હજી સુધી ત્યાંની ત્યાં જ છે. મુખ્યમંત્રીને પણ અનેક વખત રજૂઆત કરવા ગયા પરંતુ તેમને અટકાવી દેવાતા હતા. 

Image

હનુમાનજીને પત્ર લખી વ્યક્ત કરી વ્યથા   

અનેક સમય વીતિ ગયો હોવા છતાંય કોઈ નિરાકરણ નથી આવ્યું જેને લઈ ઉમેદવારોમાં રોષ ભરાયો છે. આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. અમદાવાદ ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હનુમાનજીને પત્ર લખી ટેટ-ટાટના ઉમેદવારોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. રામ ધૂન પણ ઉમેદવારોએ બોલાવી હતી. હવે જોવું રહ્યું કે આ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે.   

Image



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!