TET-TAT ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે પણ મંત્રીજી મળતા નહોતા |કોઈ ના આવ્યું તો આ બેન એકલા પહોંચી ગયા!


  • Published By :
  • Published Date : 2024-02-06 11:39:00

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ અનેક સમયથી ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની કમી છે તો બીજી તરફ શાળામાં શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી! જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે પરંતુ સરકાર તેમનો અવાજ નથી સાંભળી રહી. અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારો જાય છે પરંતુ કદાચ તેમને સમય નથી આપવામાં આવતો અને જો કોઈ વખત સમય આપવામાં આવે છે ત્યારે મંત્રીઓ ગોળગોળ જવાબ આપે છે.

ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ  

ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી સરકારને વિનંતી કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સુધી અવાજ પહોંચવાડવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા હતા. કોઈ વખત પતંગ પર માગ લખે છે તો કોઈ વખત નાટકના માધ્યમથી સરકાર સુધી પોતાની માગ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે જ્યારે આંદોલન કરવા માટે ગાંધીનગર જાય છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે.


શિક્ષણ મંત્રી સાથે ઉમેદવારે કરી મુલાકાત 

ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમજ પ્રફુલ પાન્સેરિયા સાથે મુલાકાત કરી હતી. મહિલા ઉમેદવારે બીજા ઉમેદવારોને આવવા માટે કહ્યું હતું પરંતુ કોઈ ઉમેદવાર ન આવતા મહિલા ઉમેદવાર એકલા પહોંચી ગયા હતા. મંત્રીને રજૂઆત કરી પરંતુ દર વખતની જેમ ઉમેદવારને ગોળ ગોળ વાતો કરી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.