TV Debateમાં છલકાયું TET-TATના ઉમેદવારનું દર્દ! સરકારને ક્યારે દેખશે ઉમેદવારોની આંખોમાંથી નીકળતા આંસુ? સાંભળો ઉમેદવારની વ્યથા....


  • Published By :
  • Published Date : 2023-09-15 16:14:31

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટના ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ માધ્યમો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે વિરોધ કરવા માટે ઉમેદવારો ભેગા થવાના હતા પરંતુ તે પહેલા જ તેમને રોકી દેવામાં આવતા હતા. પોતાની વાતને સરકાર સુધી પહોંચાડવા ઉમેદવારો અનેક વખત જમાવટની ઓફિસે આવ્યા છે. જ્યારે જ્યારે ઉમેદવારો ઓફિસ આવ્યા છે ત્યારે તેમની વેદના તેમની આંખોમાંથી છલકાઈ છે. 

ટીવી-શોમાં છલકાઈ ઉમેદવારોની વેદના 

સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉમેદવારો મીડિયાનો સહારો લઈ રહ્યા છે. અલગ અલગ મીડિયાના માધ્યમથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોએ ઝી ચોવીસ કલાકના સ્ટૂડિયોમાં પોતાની વેદના રજૂ કરી હતી. જ્યારે તે પોતાની વાત રાખી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા. પોતાની વેદનાને રજૂ કરવા તે સ્ટૂડિયો પહોંચ્યા હતા. ત્યારે મહિલા ઉમેદવાર રડી પડ્યા હતા. તેમનો આક્રોશ છલકાઈ રહ્યો હતો. 


જીજ્ઞેશ મેવાણી આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટના ઉમેદવારોએ ઘણી વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો અવાજ સરકારે હજી સુધી સાંભળ્યો નથી. પત્ર લકી અનેક વખત શિક્ષણમંત્રીને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. હનુમાન દાદા તેમજ શિવજીને પણ પત્ર લખી પોતાની વેદના રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. સનાતનના શરણે પણ ઉમેદવારો ગયા હતા. યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે તે બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આંદોલન કરવાની વાત કરી હતી. ત્યારે જોવું એ રહ્યું કે આ આંદોલનનું શું પરિણામ આવે છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!