TV Debateમાં છલકાયું TET-TATના ઉમેદવારનું દર્દ! સરકારને ક્યારે દેખશે ઉમેદવારોની આંખોમાંથી નીકળતા આંસુ? સાંભળો ઉમેદવારની વ્યથા....


  • Published By :
  • Published Date : 2023-09-15 16:14:31

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટના ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ માધ્યમો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે વિરોધ કરવા માટે ઉમેદવારો ભેગા થવાના હતા પરંતુ તે પહેલા જ તેમને રોકી દેવામાં આવતા હતા. પોતાની વાતને સરકાર સુધી પહોંચાડવા ઉમેદવારો અનેક વખત જમાવટની ઓફિસે આવ્યા છે. જ્યારે જ્યારે ઉમેદવારો ઓફિસ આવ્યા છે ત્યારે તેમની વેદના તેમની આંખોમાંથી છલકાઈ છે. 

ટીવી-શોમાં છલકાઈ ઉમેદવારોની વેદના 

સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉમેદવારો મીડિયાનો સહારો લઈ રહ્યા છે. અલગ અલગ મીડિયાના માધ્યમથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોએ ઝી ચોવીસ કલાકના સ્ટૂડિયોમાં પોતાની વેદના રજૂ કરી હતી. જ્યારે તે પોતાની વાત રાખી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા. પોતાની વેદનાને રજૂ કરવા તે સ્ટૂડિયો પહોંચ્યા હતા. ત્યારે મહિલા ઉમેદવાર રડી પડ્યા હતા. તેમનો આક્રોશ છલકાઈ રહ્યો હતો. 


જીજ્ઞેશ મેવાણી આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટના ઉમેદવારોએ ઘણી વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો અવાજ સરકારે હજી સુધી સાંભળ્યો નથી. પત્ર લકી અનેક વખત શિક્ષણમંત્રીને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. હનુમાન દાદા તેમજ શિવજીને પણ પત્ર લખી પોતાની વેદના રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. સનાતનના શરણે પણ ઉમેદવારો ગયા હતા. યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે તે બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આંદોલન કરવાની વાત કરી હતી. ત્યારે જોવું એ રહ્યું કે આ આંદોલનનું શું પરિણામ આવે છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.