TET-TAT અને જ્ઞાન સહાયકો પોતાની માગ CM સુધી પહોંચાડવા Gandhinagar પહોંચ્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 15:37:19

ટેટ ટાટના વિદ્યાર્થીઓ અને જ્ઞાન સહાયકની માગ રાખનારા અભ્યાર્થીઓ પોતાની માગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્ઞાન સહાયકના વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લેવા માગતા હતા. અભ્યાર્થીઓના કહ્યા મુજબ તે કોઈ વિરોધ માટે ગાંધીનગર નહોતા આવ્યા બસ પોતાની માગ ટપાલ મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા માગતા હતા, પણ એવામાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને તમામ અભ્યાર્થીઓને ડબ્બામાં પૂરીને પોલીસ થાણે લઈ જવામાં આવ્યા હતા.

TET-TATના ઉમેદવારોએ કહ્યું કે તે આંદોલન કરવા નથી આવ્યા! 

અગાઉ પણ કોન્ટ્રાક્ટ પ્રથા સામે લડવા માટે ગુજરાત ભરથી જ્ઞાન સહાયકો વિદ્યાસહાયકો અને ભાવિ શિક્ષકો વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. જો કે તે પોતાની માગ સામે રાખે તે પહેલા જ પોલીસ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા અને જેણે સરકારને 156 સીટ આપી તેના જ અવાજને દબાવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ કહેતા હતા કે અમે કોઈ આંદોલન કરવા નથી આવ્યા અમે બસ ટપાલ મોકલીને જતા રહેવાના છીએ પણ તેમને પકડી લેવામાં આવ્યા હતા. 


કાયમી ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે માગ

ગુજરાત સરકાર કહે છે કે અમે શિક્ષણ બાબતે સારા સુધારાઓ કરવા જઈ રહ્યા છીએ તો આ માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેના માટે સરકાર સુધારા કરવાના છે એની માગ સાંભળવી જોઈએ કે તેમનું કહેવું શું છે. આ લોકોએ પોતાનો અવાજ દબાય તેના માટે મત નહોતા આપ્યા. તેમનું કહેવું છે કે સરકારે જે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની વાત કરી છે તે પાછી લઈ લે અને પોતાના જીવવના અમુલ્ય વર્ષો જેણે શિક્ષક બનવાના સપના જોયો હોય તેને કોન્ટ્રાક્ટવાળી ભરતી રદ કરીને અને કાયમી નોકરી માટે ભરતી કરવી જોઈ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.