TET - TAT પાસ ઉમેદવારોના આંદોલન બાદ CM Bhupendra Patelની અધ્યક્ષતામાં બેઠક, ભરતીના નિયમોની ચર્ચા!


  • Published By :
  • Published Date : 2024-06-29 19:00:14

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકેલી છે અને ભરતીની માંગણી સાથે છેલ્લા કેટલાઈ સમયથી આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. તે બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભરતી અંગેની.. હવે શિક્ષકોની ભરતીના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક બાદ એક મિટિંગ કરી રહ્યા છે તો આજે પણ ભરતી મુદ્દે મિટિંગ થઈ હતી..  

શિક્ષકોની ભરતી મામલે મુખ્યમંત્રી પોતે રાખી રહ્યા છે નજર  

TET-TATના ઉમેદવારો માટે થોડા જ સમયમાં સારા સમાચાર આવી શકે છે કારણકે ઉમેદવારોના આંદોલન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિષય પર નજર રાખી રહ્યા છે. આજે શિક્ષકોની ભરતી સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં નવી ભરતી અને નિયમો બાબતે ચર્ચા કરવામાં આવી છે અને આ પહેલી બેઠક હતી હજુ આગળ પણ બેઠકો થાય બાદમાં નિયમો ફાઇનલ કર્યા બાદ  નોટીફિકેશન જાહેર થવાની શક્યતા છે. આંદોલન બાદ મુખ્યમંત્રી આ ભરતી માટે સીધુ મોનિટરીંગ કરતા હોય તેવી સ્થિતિ લાગી રહી છે.



થોડા દિવસ જાહેરાત કરવામાં આવી કે... 

જોકે જે દિવસે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું ત્યારે જ મુખ્યમંત્રીએ બેઠક કરી અને જાહેરાત કરી હતી કે આગામી સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે. ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી પસંદગી થશે. ત્રણ માસની અંદર ભરતી પ્રક્રિયા શરૂ થશે. આ જાહેરાત મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી.. ઉમેદવારોએ આને લોલીપોપ ગણાવ્યો હતો.   


 

મુખ્યમંત્રી પોતે લઈ રહ્યા છે આ મામલે રસ

જાણે કે આ ગુજરાતની આ તાસીર બની ગઈ હોય કે જ્યાં સુધી આંદોલન નહીં થાય, ગાંધીનગરના રસ્તા પર હલ્લાબોલ નહીં થાય જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી નિર્ણય લેવામાં આવતો નથી. ખેર અત્યારે જ્યારે આ વિષય અને ભરતી મુદ્દે મુખ્યમંત્રી રસ બતાવી રહ્યા છે તો એવું લાગી રહ્યું છે કે હવે આ ભરતી થઈ જશે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે