આતુરતાનો આવ્યો અંત, TET-1નું પરિણામ થયું જાહેર, ગત એપ્રિલમાં 87 હજાર પરીક્ષાર્થીઓએ આપી હતી પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-05-12 22:17:08

TET-1ના પરીક્ષાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં TET-1ની પરીક્ષા ગત 16 એપ્રિલના રોજ લેવામાં આવી હતી. રાજ્યના લગભગ 87 હજાર ઉમેદવારોએ આ પરીક્ષામાં આપી હતી.આ પરીક્ષાનું પરિણામ જોવા માટે બોર્ડની વેબસાઈટ https://sebexam.org પર જઈ વિઝિટ કરો.


વર્ષ 2018 બાદ યોજાઈ હતી પરીક્ષા


શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા ગત એપ્રિલમાં યોજાઈ હતી. ટેટ 1ની પરીક્ષા ગત 16 એપ્રિલ અને ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અંદાજે 86 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપી હતી. રાજ્યના 4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવામાં આવી હતી.  નોંધવા જેવી બાબત એ છે કે વર્ષ 2018 બાદ TET-TET-1 પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઈ ન હતી, જેથી રાજ્યના હજારો યુવક-યુવતીઓએ શિક્ષકમાં જોડાવાની ઈચ્છા સાથે આ પરીક્ષા આપી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. 


કેટલી મહત્વની છે TETની પરીક્ષા?


TET (Teacher Eligibility Test) જેને ગુજરાતીમાં શિક્ષક પાત્રતા કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક કસોટી છે જે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવામાં આવે છે. TET પરીક્ષા પાસ કર્યા પછી, તમે ધોરણ 1 થી 8 સુધીની કોઈ પણ સરકારી શાળામાં શિક્ષક બનવા માટે અરજી કરી શકો છો. TET પરીક્ષા 2022 દરેક રાજ્યના વ્યવસાયિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ દ્વારા, ઉમેદવારને ધોરણ 1-5 માટે પ્રાથમિક શિક્ષકની નિમણૂક માટે પાત્રતાનું પ્રમાણપત્ર અને ધોરણ 6-8 માટે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.