આતુરતાનો આવ્યો અંત, TET-1નું પરિણામ થયું જાહેર, ગત એપ્રિલમાં 87 હજાર પરીક્ષાર્થીઓએ આપી હતી પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-05-12 22:17:08

TET-1ના પરીક્ષાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં TET-1ની પરીક્ષા ગત 16 એપ્રિલના રોજ લેવામાં આવી હતી. રાજ્યના લગભગ 87 હજાર ઉમેદવારોએ આ પરીક્ષામાં આપી હતી.આ પરીક્ષાનું પરિણામ જોવા માટે બોર્ડની વેબસાઈટ https://sebexam.org પર જઈ વિઝિટ કરો.


વર્ષ 2018 બાદ યોજાઈ હતી પરીક્ષા


શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા ગત એપ્રિલમાં યોજાઈ હતી. ટેટ 1ની પરીક્ષા ગત 16 એપ્રિલ અને ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અંદાજે 86 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપી હતી. રાજ્યના 4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવામાં આવી હતી.  નોંધવા જેવી બાબત એ છે કે વર્ષ 2018 બાદ TET-TET-1 પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઈ ન હતી, જેથી રાજ્યના હજારો યુવક-યુવતીઓએ શિક્ષકમાં જોડાવાની ઈચ્છા સાથે આ પરીક્ષા આપી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. 


કેટલી મહત્વની છે TETની પરીક્ષા?


TET (Teacher Eligibility Test) જેને ગુજરાતીમાં શિક્ષક પાત્રતા કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક કસોટી છે જે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવામાં આવે છે. TET પરીક્ષા પાસ કર્યા પછી, તમે ધોરણ 1 થી 8 સુધીની કોઈ પણ સરકારી શાળામાં શિક્ષક બનવા માટે અરજી કરી શકો છો. TET પરીક્ષા 2022 દરેક રાજ્યના વ્યવસાયિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ દ્વારા, ઉમેદવારને ધોરણ 1-5 માટે પ્રાથમિક શિક્ષકની નિમણૂક માટે પાત્રતાનું પ્રમાણપત્ર અને ધોરણ 6-8 માટે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!