જમ્મુ-કશ્મીરના પુલવામામાં લશ્કર કમાન્ડર સહિત બે આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-08-21 10:25:30

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના લૈરો-પરિગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કરે  તોયબાના કમાન્ડર સહિત બે આતંકીઓના મોત થયા છે.  આ ઓપરેશન જમ્મુ કાશ્મિર પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા દળોએ સાથે મળીને શરૂ કર્યું છે. 


સેનાએ વિસ્તારને કોર્ડન કર્યો


કશ્મિર ઝોન પોલીસે રવિવારે રાત્રે એનકાઉન્ટર શરૂ થવાની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કશ્મીર ઝોન પોલીસના સત્તાવાર પેજ પર લખ્યું હતું કે પુલવામાના લૈરો-પરિગામ વિસ્તારમાં અથડામણ થઈ છે. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારનો કોર્ડન કરી લીધો છે.


ઈનપુટ બાદ સર્ચ ઓપરેશન 


સુરક્ષા દળોને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત બાતમી મળી હતી. ત્યાર બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રવિવારે મોડી રાત્રે અથડામણ થઈ. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે કેટલા આતંકવાદી છુપાયા છે, ફરી ઓપરેશનમાં સામેલ જવાનોની સંખ્યા અંગે કોઈ પણ જાણકારી મળી નથી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.