જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઠાર મરાયા! સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં કર્યું પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-16 11:59:30

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો તેમજ આતંકવાદોથી વચ્ચે ફાયરિંગની ઘટના ફરી એક વખત બની છે. ફાયરિંગ દરમિયાન પાંચ આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર મારી દીધા છે. એન્કાઉન્ટરની ઘટના જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળો પરથી હથિયારો પણ મળી આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

    

પાંચ આતંકવાદીઓનું કરાયું એન્કાઉન્ટર!

ફરી એક વખત સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઠાર માર્યા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આતંકી છુપાયા હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેના જવાન અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન પાંચ આતંકવાદીઓનું એન્કાઉન્ટર થઈ ગયું છે. મહત્વનું છે કે હજી પણ સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે. પાંચ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા છે. મહત્વનું છે કે આતંકવાદીઓ ઘાટીમાં એક્ટિવ થઈ રહ્યા છે. 


પહેલા પણ આતંકવાદી વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી! 

કાશ્મીર પોલીસના ADGPએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આતંકવાદીઓ આ સ્થળ પર છુપાયા હોવાની માહિતી સુરક્ષાબળોને મળી હતી. મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બાદમાં તે વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને હાલમાં પણ સર્ચ ઓપરેશન અતર્ગત તપાસ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન પૂરૂ પાડવામાં આવ્યું હતું. જયારે સર્ચ ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી અને તેના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પાંચ આતંકવાદીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે મંગળવારે પણ સુરક્ષાબળો દ્વારા આતંકવાદીઓને ઠાર મરાયા હતા. ત્યારે આજે વધુ પાંચ આતંકવાદીઓને મારી પડાયા છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.