અફઘાનિસ્તાનમાં સ્કૂલ પર આતંકી હુમલો, 100થી વધુ બાળકોના મોત, હ્રદયદ્રાવક વિડીયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:19:47

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પછી પણ આત્મઘાતી હુમલાની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. આજે રાજધાની કાબુલની એક સ્કૂલમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 બાળકોના મોત થયા છે. સ્થાનિક મિડીયાના જણાવ્યા પ્રમાણે વિષ્ફોટના સ્થળે હ્રદય દ્વાવક દ્રશ્યો જોવા મળ્યો હતો. શાળાની આસપાસના મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી હતી. કોઈના હાથ ક્યાંક પડ્યા હતા તો ક્યાંક પગ હતા.

  ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાને (Iskp)કર્યો હુમલો


ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંતે હુમલાની જવાબદારી લીધી છે, મૃતકોમાં મોટાભાગના હજારા અને શિયા સમુદાયના વિદ્નેયાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલમાં કાબુલમાં બે શૈક્ષણિક સંસ્થાઓમાં વિસ્ફોટ થયા હતા, તેમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ બંને શાળાઓ કાબુલના દશ્તે બરચી વિસ્તારમાં પણ આવેલી હતી.


શિયા અને હજારા સમુદાય Iskpના નિશાન પર


કાબુલના દશ્તે બરચીમાં સ્થિત આ સ્કૂલ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે આવેલી છે. ઘાયલ વિદ્યાર્થીઓથી હોસ્પિટલના તમામ બેડ ભરાઈ ગયા છે. અત્યાર સુધીમાં 100થી વધુ મૃતકોની ગણતરી કરવામાં આવી છે. શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હતી તે સમયે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પાછળનો હેતું શિયા અને હજારા સમુદાયને નિશાન બનાવવાનો હતો. તમામ મૃતક વિદ્યાર્થી શિયા અને હજારા સમુદાયના હતા. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.