જાપાનના એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે જોરદાર ટક્કર બાદ ભયાનક આગ, 379 મુસાફરોનો આબાદ બચાવ


  • Published By :
  • Published Date : 2024-01-02 19:43:49

જાપાનમાં શક્તિશાળી ભૂકંપ અને સુનામી આવ્યાને 24 કલાક પણ વીત્યા નથી, ત્યારે વધુ એક દુર્ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. મંગળવારે જાપાનના ટોક્યો હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહેલા પ્લેનમાં આગ લાગી હતી. આ વિમાનમાં 379 મુસાફરો સવાર હતા. વિમાનની બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. જાપાનની સરકારી NHK ટીવીએ પણ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં રનવે પર પાર્ક કરાયેલા એરક્રાફ્ટની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. નિપ્પોન ટીવીના રિપોર્ટ મુજબ, કોસ્ટ ગાર્ડના વિમાન સાથે સંભવિત ટક્કરને કારણે વિમાનમાં આગ લાગી હતી. જો કે, તપાસકર્તાઓ દરેક એંગલથી અકસ્માતની તપાસ કરી રહ્યા છે.


શું ટક્કરને કારણે આગ લાગી હતી?


કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ સંભવતઃ જાપાન કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટે આ પ્લેનને ટક્કર મારી હતી. જાપાનના કોસ્ટ ગાર્ડે કહ્યું કે તે તેના એરક્રાફ્ટ અને પ્લેન વચ્ચે અથડામણના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે.


જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ શું કહ્યું?


જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન હોક્કાઇડોના શિન-ચિટોઝ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને તેમાં 300 થી વધુ મુસાફરો હતા. AFP એ NHK ને ટાંકીને જણાવ્યું હતું કે સળગતા વિમાનમાંથી તમામ 367 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.


રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?


આ દુર્ઘટનાને કારણે રનવે પર પણ આગ ફાટી નીકળી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન જાપાન એરલાઈન્સનું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન હાનેડા એરપોર્ટના રનવે પર ઉતરી રહ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે વિમાન, JAL 516, હોક્કાઇડોથી ઉડાન ભરી હતી. NHK એ આગ બુઝાવવા માટે કામ કરતા અગ્નિશામકોને પણ બતાવ્યા હતા. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.