રાજ્યમાં વધ્યો તાપમાનનો પારો, ફેબ્રુઆરીમાં થતો ઉનાળાની ગરમીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-02-21 10:41:29

ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આ વખતે જેમ શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો તેવી જ રીતે આ ઉનાળો પણ આકરો રહેવાની આશંકા સેવાઈ રહી છે. રાજ્યના અનેક સ્થળો પર તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું અને એ સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.


બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ 

આ વખતે ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. આ વર્ષે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો ત્યારે આ વખતનો ઉનાળો પણ આકરો રહેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું હતું. આ અનુમાન સાચું સાબિત થઈ રહ્યું છે. ફ્રેબુઆરીમાં જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. 


અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું

રાજકોટનું તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતું, અમદાવાદમાં 37.2 ડિગ્રી, કંડલામાં 37.6 ડિગ્રી, સુરતમાં 37.8 ડિગ્રી, વલસાડમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં એકાએક ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમરેલીનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધુ ઉચકાઈ શકે છે અને ભારે તડકાનો અનુભવ થઈ શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ માટે હિટ વેવની આગાહી કરવામાં આવી છે. પહેલી વાર એવું બની રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી પડી રહી છે.   




રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.