સ્વતંત્રતા દિને તેલંગાણા સરકારની ખેડૂતોને મોટી ભેટ, 9 લાખ ખેડૂતોની કૃષિ લોન કરી માફ


  • Published By :
  • Published Date : 2023-08-15 19:23:18

તેલંગાણા સરકારે 15 ઓગસ્ટ નિમિત્તે મહત્વની જાહેરાત કરતા 9 લાખ ખેડૂતોની કૃષિ લોન માફ કરી દીધી છે. સ્વતંત્રતા દિવસ સમારોહની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી કે. ચન્દ્રશેખર રાવે ચૂંટણી દરમિયાન આપેલું વચન નિભાવતા દેવા માફી માટે ફંડની ફાળવણીનો હુકમ કર્યો હતો. સીએમ ચન્દ્રશેખર રાવે કહ્યું કે એક લાખથી ઓછી લોન ધરાવતા ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવામાં આવશે અને 99,999 રૂપિયા સુધીની કૃષિ લોનનની ચૂકવણી બેંકોને કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


બે વખત લોન માફી


રાજ્ય સરકારની આ જાહેરાતથી રાજ્યના 9,02,843 ખેડૂતોને ફાયદો થશે. રાજ્યના નાણા વિભાગે  9,02,843 ખેડૂતો માટે 5,809.78 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જમા કરાયેલી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવશે. સીએમ કેસીઆરે 11 ડિસેમ્બર 2018ના રોજ  એક લાખથી ઓછી રકમની કૃષિ લોન માફ કરવાનું જનતાને વચન આપ્યું હતું. આ પહેલા રાજ્ય સરકારે 2 ઓગસ્ટન રોજ સીએમ ચન્દ્રશેખર રાવે 50 હજાર સુધીની કૃષિ લોન લેનારા 7,19,488 ખેડૂતોની લોન માફ કરવા માટે બેંકોને 1,943.64 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. ઉલ્લેખનિય છે કે આટલા મોટા પ્રમાણમાં બે વખત કૃષિ લોન માફ કરનારૂ તેલંગાણા દેશમાં એકમાત્ર રાજ્ય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.