તેજસ્વી યાદવ સામે વધુ તપાસનો અમદાવાદની મેટ્રો કોર્ટે કર્યો આદેશ, 20 મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-08 18:02:20

બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે આજે માનહાનિના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજે સુનાવણી બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ટૂંકી સુનાવણી બાદ કોર્ટે 202 હેઠળ તપાસનો આદેશ આપ્યો હતો. ઇન્કવાયરી બાદ જ કોર્ટ નક્કી કરશે કે તેજસ્વી યાદવને સમન્સ મોકલવું કે નહીં,  આ કેસની વધુ સુનાવણી 20 મેના રોજ હાથ ધરાશે, આ દિવસે ફરિયાદીને તમામ દસ્તાવેજ, પૂરાવા અને સાક્ષીઓને ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું છે.


બિઝનેસમેન હરેશ મહેતાએ કર્યો છે કેસ
 

અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના બિઝનેસમેન હરેશ મહેતાએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના નાના પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડીજે પરમારની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. 21 માર્ચે આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે સુનાવણી માટે 8મી મેના રોજ કહ્યું હતું. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે જો માનહાનિનો મામલો બને છે તો તેમની સામે પણ સમન્સ જારી કરવામાં આવી શકે છે. આ કેસની છેલ્લી સુનાવણી 1 મેના રોજ થઈ હતી. 


ફરિયાદીએ કોર્ટમાં આપ્યા હતા પુરાવાઓ 


1 મેએ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આ મામલે ફરિયાદી હરેશ મહેતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. ફરિયાદીએ કોર્ટમાં તેજસ્વી યાદવના વીડિયોની સીડી અને પેન ડ્રાઈવના પુરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે જમા કરાવ્યા હતા. 


તેજસ્વી યાદવ સામે આરોપ શું છે?


ફરિયાદી હરેશ મહેતાએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો હતો કે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પટનામાં પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ગુજરાતીઓને ઠગ કહ્યા હતા.તેજસ્વીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે "વર્તમાનમાં જે સ્થિતિ છે તે તેને જોઈએ તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોય છે, અને તેમને માફ પણ કરી દેવામાં આવે છે" આ વાત તેમણે ત્યારે કહીં હતી કે જ્યારે બેંકોના પૈસા લઈને વિદેશ ફરાર થઈ ગયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની રેડ નોટિસમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.