વંદે ભારત ટ્રેનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, અનેક મુસાફરો અટવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:26:51

વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ કારણોસર ચર્ચમાં રહી છે. સળંગ બે દિવસ વંદે ભારત ટ્રેનનો અકસ્માત રખડતા ઢોર સાથે થયો છે. એક વખત ભેંસો વચ્ચે આવી હતી અને બીજા દિવસે ગાયો ટ્રેક પર આવતા ટ્રેનનો અકસ્માત સર્જાયો છે. ત્યારે આજે ટેકનિકલ ખામીને કારણે આ ટ્રેનની ફરી એક વખત ચર્ચાઈ રહી છે. ખુર્જા રેલવે જંકશન પર ટ્રેનની બ્રેક જામ થતા તમામ પેસેન્જરને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરી દેવાયા હતા. ટ્રેનના કોચમાં પૈડા જામ થતા ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા અટવાયા મુસાફરો

દિલ્હીથી વારાણસી જતી આ ટ્રેનમાં અચાનક ખામી સર્જાતા મુસાફરો અટવાઈ ગયા હતા. ટ્રેક્શન મોટર સીઝ થતા ટ્રેનની બ્રેક જામ થતા મુસાફરો અટવાયા હતા. ટ્રેનમાં સર્જાયેલ ખામીને ઠીક કરવાના અનેક પ્રયાસો કરાયા હતા. બુલંદશહરમાં ઉભી રહેતા રેલવે અધિકારીઓએ આ ખામીને ઠીક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ ટ્રેન શરૂ ન થતા મુસાફરોને બીજી ટ્રેનમાં સિફ્ટ કરાયા હતા.

 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.