સારા અલી ખાનની ફિલ્મ 'એ વતન મેરે વતન’ નું ટીઝર થયું રિલીઝ, શું તમે જોયું ટીઝર?


  • Published By :
  • Published Date : 2023-01-23 13:39:43

આગામી સમયમાં અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. શાહરૂખ ખાનની પઠાણ, અક્ષયકુમારની સેલ્ફી જેવી અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. ત્યારે સારા અલી ખાનની ફિલ્મ પણ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. સારાની આગામી ફિલ્મ એ વતન મેરે વતનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.  આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન એક સ્વતંત્રતા સેનાનીની ભૂમિકામાં જોવા મળી રહી છે.

Sara Ali Khan is a freedom fighter in Ae Watan Mere Watan, watch teaser |  Bollywood - Hindustan Times

સ્વતંત્રતા સેનાનીના રોલમાં દેખાય છે સારા

આઝાદી વખતના સંઘર્ષને ધ્યાનમાં રાખી અનેક ફિલ્મો બનતી હોય છે. ત્યારે આવનાર સમયમાં અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ એ વતન મેરે વતન આવવાની છે. આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. કન્નન અય્યર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળશે.


ભારત છોડો આંદોલન પર આધારીત છે ફિલ્મ 

આ ફિલ્મમાં ભારત છોડો આંદોલનમાં સીક્રેટ ઓપરેટર બનીને દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઉષા મહેતાનો રોલ કરી રહી છે. ઉષા મહેતાએ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 1942માં થયેલા ભારત છોડો આંદોલન પર આધારીત છે. ટીઝરમાં સારા રેટ્રો લૂકમાં દેખાઈ રહી છે. સફેદ રંગની સાડીમાં રેડિયો સેટ કરતી દેખાઈ રહી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે