બદલીવાંચ્છુ શિક્ષકોને લઈ મોટા સમાચાર, બદલીઓની પ્રક્રિયા અંગે સરકારે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-16 15:13:41

રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીને અનેક વખત ફરિયાદો સાંભળવા મળે છે. શિક્ષકો જિલ્લાફેર બદલી માટે ઘણી વખત મોટી રકમ પણ લાંચ પેટે ચૂકવતા હોય છે. આ બાબત શિક્ષણ ક્ષેત્રે જાણે સામાન્ય બાબત બની ગઈ છે. જો કે બદલીવાચ્છુ શિક્ષકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે.

 

પરીક્ષાઓ બાદ થશે બદલીઓ


રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 12ની પ્રિલિમનરી પરીક્ષા આગામી 28 જાન્યુઆરીથી શરૂ થશે, જે 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે. જેના કારણે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોની બદલીઓ હાલ પૂરતી મૌકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ઔપચારિક રીતે આ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


શિક્ષણ વિભાગ આપી સૂચના


શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર બોર્ડની પરીક્ષા અને શાળાઓની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી જૂન 2023 બાદ શિક્ષકોની બદલીઓની કામગીરી શરૂ થશે. શાળાઓના પરીક્ષા કાર્યક્રમ બાદ બદલીઓની પ્રક્રિયા કરવા સૂચન કરવામાં આવ્યું છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.