સાર્વજનિક માધ્યમિક શાળાના શિક્ષકોએ આવી રીતે મનાવી દિવાળી, આ વિદ્યાર્થીઓને આપી ભેટ..


  • Published By :
  • Published Date : 2024-10-29 16:04:49

દિવાળીનો તહેવાર આવે અને લોકોના જીવનમાં ખુશીઓ આવે તેવી પ્રાર્થના કરતા હોઈ છીએ... નાના છોકરાઓને ઉત્સાહ હોય છે નવા કપડા, ફટાકડાની ખરીદી કરવાનો પરંતુ અનેક બાળકો એવા હોય છે જે આર્થિક પરિસ્થિતિને કારણે નવા કપડા અને ફટાકડા નથી ખરીદી શકતા.. અનેક સંસ્થાઓ, લોકો એવા હોય છે જે બાળકોને નવા કપડાઓ અપાવતા હોય છે. ત્યારે સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા.. 

 

શિક્ષકો પર મોટી જવાબદારી હોય છે જ્યારે.... 

બાળક ઘર પછી સૌથી વધારે સમય જો ક્યાંય પસાર કરતો હોય તો તે જગ્યા શાળા હોય છે.. માતા પિતા પછી બાળકના ભવિષ્યની કોઈને ચિંતા હોય તો તે હોય છે શિક્ષકો... શિક્ષક માટે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે.. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હેં.. શિક્ષકો પર જવાબદારી વધી જતી હોય છે કારણ કે માતા પિતા એ ભરોસા સાથે બાળકને શાળાએ મોકલે છે કે બાળક સારા વાતાવરણમાં છે, સારા લોકો સાથે છે. 



જરૂરીયાતમંદ બાળકોને આપી દિવાળીની ભેટ

શાળામાં આવતા દરેક બાળકો પર માતા પિતાનો સાયો હોય તે જરૂરી નથી હોતું... શાળામાં એવા બાળકો પણ આવતા હોય છે જેમના માતા પિતા અથવા તો માતા કે પિતાની છત્રછાયા ના હોય.. ત્યારે સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય ડો ટીનાબેન જોશી તેમજ સુપરવાઇઝર શિલ્પાબેન ત્રિવેદી અને વરિષ્ઠ શિક્ષક દર્શનભાઈ પટેલ દ્વારા શાળાના ખૂબ જ જરૂરિયાત મંદ તેમજ માતા પિતા અથવા તો માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની આજે દિવાળી પર્વ નિમિત્તે મુલાકાત લીધી હતી અને તેમને ભેટ સોગાદો આપી હતી.. ભેટ સોગાદો મળતા વિદ્યાર્થીઓ આનંદિત તેમજ ભાવ વિભોર થઈ ગયા હતા.. આપણે પણ કોઈ માટે આ તહેવાર યાદગાર બનાવીએ....



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે