રાજ્યમાં 5360 શિક્ષકોની કરવામાં આવશે ભરતી, આગામી દિવસોમાં યોજાશે TETની પરીક્ષા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 18:10:12


ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોનો અસંતોષ દુર કરવાના ભરચક પ્રયાસો કરી રહી છે. વિરોધ પક્ષો મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને ભાજપને ઘેરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા હતા. રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી અંગેનો મહત્વનો નિર્ણય કરી હજારો બેકાર શિક્ષકોના દિલ જીતી લીધા છે. ભરતીની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યા સહાયકો માટે આ આનંદના સમાચાર છે. 


શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે


કેબિનેટની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં જ શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. વાઘાણીએ કહ્યું કે શિક્ષણ વિભાગમાં ભરતી સમયસર થાય છે. છેલ્લે 3300 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જિલ્લાફેર બદલી અંગે તેમણે જણાવ્યું કે, હાલ આ કેસ હાઇકોર્ટમાં છે. હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર તત્કાલ ભરતી કરવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આ સાથે જ લાંબા સમયથી શિક્ષક બનવા માંગતા બેરોજગારોએ રાહતનો શ્વાસ લીધો છે. 


ટેટ અંગે મહત્વની જાહેરાત 


TET પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી ટેટની પરીક્ષા જ  લેવામાં આવી નથી. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું. સપ્ટેમ્બરના અંતે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. શક્ય તેટલી ઝડપથી ભરતી પુર્ણ થાય તેવો પ્રયાસ રહેશે. આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન કરી દેવાશે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.