શિક્ષકો કંટાળ્યા, કહ્યું ગોળ-ગોળ જવાબો નહીં ફેરબદલી આપો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 20:28:53

STORY BY SAMIR PARMAR

શું છે મુદ્દો? શું હોય છે બદલી કેમ્પ? 

ગુજરાતના તમામ જિલ્લાની સરકારી શાળામાં શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. પરંતુ જે શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે તે વિવિધ જિલ્લાના હોય છે. તેમની માગણી હોય છે કે તેમને તેમના વતન વિસ્તારમાં કામગીરી કરવા મળે. જેથી શિક્ષકોની ફેરબદલીના કેમ્પ જાહેર કરવામાં આવતા હોય છે. આંતર જિલ્લા, જિલ્લા સ્તરની અને આંતરિક જિલ્લાની બદલી એમ અનેક પ્રકારના કેમ્પ યોજાતા હોય છે. 


છેલ્લે ક્યારે બદલીઓ કરવામાં આવી હતી?

શિક્ષકોની સાનુકૂળતા માટે સરકારે પ્રતિવર્ષ ફેરબદલી કરવી પડે છે. પરંતુ 2016 બાદ 2019માં બદલી કરવામાં આવી હતી. 2019 બાદ સીધી 2021માં બદલી કરવામાં આવી હતી. આ વર્ષે બદલી માટે કેમ્પની શિક્ષકો માગ કરી રહ્યા છે પરંતુ સરકાર કોર્ટ મેટર કહીને વાત ટાળી રહી હતી. હવે હાઈકોર્ટે શિક્ષકોના પક્ષમાં ચુકાદો આપ્યો છે ત્યારે સરકાર ફેરબદલીના કેમ્પ યોજે તેવી શિક્ષકોની માગણી છે. 


જિતુ વાઘાણીએ શું વચનો આપ્યા હતા 

જમાવટે જ્યારે સરકારી શિક્ષક સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને રૂબરૂ મળીને અમારી વાત રજૂ કરી હતી. અનેકવાર રજૂઆત બાદ શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ અમને જણાવ્યું હતું કે તમે હાઈકોર્ટ સામે સમક્ષ મુદ્દો રાખો. શિક્ષણમંત્રીના જણાવ્યા અનુસાર અમે હાઈકોર્ટમાં ગયા હતા અને સમગ્ર મામલે અરજી કરી હતી. હાઈકોર્ટે સમગ્ર મામલે સુનાવણી કરી હતી અને સરકારને આદેશ આપ્યો હતો. 20 સપ્ટેમ્બરે હાઈકોર્ટે 60 પાનાના ઠરાવમાં શિક્ષકોની બાજુમાં ચુકાદો આપ્યો હતો. 


શા માટે શિક્ષકોને હાઈકોર્ટમાં જવું પડ્યું હતું?

સરકારના 2012ના નિયમો જુદા હતા અને સરકારે બહાર પાડેલા નવા નિયમો જુદા હતા. જેથી શિક્ષકોને અન્યાયની લાગણી ઉભી થઈ. શિક્ષકો હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે 20 સપ્ટેમ્બરે શિક્ષકોના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અગાઉ સરકાર કોર્ટ મેટર કહીને વાત વાળી લેતી હતી અને મુદ્દો ટાળવાનો પ્રયાસ કરતી હતી પરંતુ હવે જ્યારે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે ત્યારે હવે સરકાર ફેર બદલી મામલે કોઈ જાહેરાત નથી કરતી તેવું શિક્ષકોનું કહેવું છે.


હાઈકોર્ટે સરકારને શું સૂચના આપી?

20 સપ્ટેમ્બરે હાઈકોર્ટે શિક્ષકોના તરફેણમાં ચુકાદો આપી જણાવ્યું હતું કે 2022ના ઠરાવ મુજબ ફેરબદલી કેમ્પ યોજવામાં આવશે. શિક્ષકોએ હાઈકોર્ટમાં 125 જેટલી અરજી કરી હતી જેમાં 47 અરજી સિનિયોરિટી બાબતે હતી. સમગ્ર મામલે હાઈકોર્ટે 60 પાનાનો આદેશ જાહેર કરી શિક્ષકોના તરફેણમાં વાત કરી હતી. 


ભ્રષ્ટાચારના આક્ષેપો છે 

જમાવટ પર ટેલિફોનિક વાતમાં એક શિક્ષક સૂત્રએ જણાવ્યું હતું કે આમ તો ફેરબદલીમાં લાગવગ ચલાવવામાં આવી હોય છે. એક શિક્ષકને બદલી માટે લાખો રૂપિયા ખવડાવવા પડતા હોય છે ત્યારે તેમની બદલી મન મરજી મુજબ કરી આપવામાં આવતી હોય છે. ટેલિફોનિક ચર્ચામાં શિક્ષકે નામ જ જણાવવાની શરત મુજબ જણાવ્યું હતું કે જિલ્લા સ્તરે આવા ભ્રષ્ટાચાર થાય છે. 


શા માટે થઈ રહી છે માગણી?

"ધરતીનો છેડો ઘર" કહેવામાં આવે છે કે તમે દુનિયાના ગમે તે છેડા પર પહોંચી જાઓ, અંતે તમારો થાક ઘરે આવીને જ ઉતરશે. ગુજરાતના શિક્ષકો પણ પોતાનું વતન, પરિવાર, વડીલ, જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં અભ્યાસ માટે જતા હોય છે. ત્યારે શિક્ષકોને પોતાના વતનમાં નોકરી મળે જેથી તેઓ પોતાના પરિવાર સાથે રહીને નોકરી કરી શકે તેવી તેમની લાગણી અને માગણી સ્વાભાવીક હોય છે. 


નવા બદલી નિયમ 2022 મુજબ નીચેના મુદ્દાઓમાં સુધારો કરવાનો કોર્ટની જજમેન્ટમાં વાત છે.

1. પ્રકરણ ડીના મુદ્દા નંબર 12 

2. પ્રકરણ એચના મુદ્દા નંબર 3

3. પ્રકરણ જેના મુદ્દા નંબર 5

4. પ્રકરણ એલના મુદ્દા નંબર 3 અને 4 









 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.