શાળામાં તાજીયાની થીમ પર ગરબા, ભીનું સંકેલવા શિક્ષક કરાયા સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 11:59:25

હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. જે અંતર્ગત અનેક શાળાઓમાં એક દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ખૂબ ઉત્સાહ પૂર્વક બાળકો આમાં ભાગ લેતા હોય છે. ત્યારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બાળકોને ગરબાની બદલીમાં તાજિયા રમાડવામાં આવ્યા હતા.

વિડીયો વાયરલ થતા સર્જાયો હતો વિવાદ

નડિયાદની એક સરકારી શાળાની ઘટના છે. ગરબાને બદલે તાજીયા વગાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ વાત ઉપરી અધિકારીઓ સુધી પહોંચતા ત્વરિત કાર્યવાહી કરાતા ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


વિવાદ શાંત કરવા શિક્ષકોને કરાયા સસ્પેન્ડ

આ ઘટના છે નડિયાદના હાથજ ગામમાં આવેલી સરકારી શાળામાં તાજીયા વગાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો. પે-સેન્ટર શાળાનો આ વિડીયો સામે આવતા હિંદુ સેનામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગરબાના સ્થાને તાજીયા પર ડાન્સ કરતાનો વિડીયો સામે આવતા અનેક લોકોએ દોષિત અધિકારીઓ પર આકરા પગલા લેવા માટે ફોર્સ કર્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્વરિત એક્શન લીધા હતા અને 4 શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા હતા. વિડીયોમાં બાળકો ગરબા કરવાને બદલે છાતી પર હાથ મારતા નજરે પડ્યા હતા.       



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.