તાપીની સુંદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક નશામાં ચકચૂર રહેતા વાલીઓમાં રોષ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-30 21:16:20

આપણા દેશમાં પ્રાચીન સમયથી વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા ગુરૂઓ તેમના શિષ્યો માટે આદર્શ મનાય છે. જો કે રાજ્યની શાળાઓમાં દારૂ પિધેલી હાલતમાં પકડાતા હોવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમ કે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર પ્રાથમિક શાળામાં નશામાં ચકચૂર રહેતા શિક્ષકના કારણે હોબાળો મચ્યો છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાથી વાલીઓમાં ઉગ્ન રોષ ભભૂકી ઊઠ્યો છે. આ પિક્કડ શિક્ષકની તાકીદે બદલી કરવા અંગે આજરોજ એસ.એમ.સી. સમિતિ તથા વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના સંબંધિત વિભાગોને આવેદનપત્ર આપ્યું છે.


વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હતો


તાપીમાં ઉચ્છલના સુંદરપુરની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક શિક્ષક લલ્લુભાઈ ગામીત ક્લાસમાં દારુ પીને પડી રહેતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. શાળામાં શિક્ષક ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષકની બદલી કરવા વાલીઓની શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી શિક્ષક ક્લાસમાં દારુ પીને પડ્યા રહેતા હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે.


શિક્ષક લલ્લુભાઈ ગામીતથી ગામ લોકો ત્રાહિમામ


તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની કોંકણી ફળિયાની પ્રાથમિક શાળામાં ધો. 1થી 5 વર્ગો ચાલે છે. કોંકણી, માવચી, વસાવા, ગાવિત જેવા આદિવાસી સમાજના બાળકો શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લલ્લુભાઈ સી.ગામીતની દારૂના વ્યસનની કુટેવથી ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અનેક વખત રજૂઆત છતાં પોતાની આદતમાં કોઈ પરિવર્તન ન દેખાતા આજરોજ ઉશ્કેરાયેલ અને એસ.એમ.સી. સમિતિએ તાલુકા પાથમિક શિક્ષણ અધિકારી, મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને સંબોધતું આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, સુંદરપુર (કોંકણી ફળિયા)ની શાળાના શિક્ષક દરરોજ દારૂનું વ્યસન કરી શાળામાં આવે છે, બાળકોને કંઇ પણ ભણાવતા નથી. શાળામાં વિદ્યાભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના બાળ માનસ પર કેટલી ખરાબ અસર થઈ હશે મુદ્દો પણ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.