Tatya Patel અકસ્માતમાં આપણેએ સગીરને તો ભૂલી ગયા જેણે થાર ઠોકી હતી! સગીરે Police સમક્ષ કર્યા આ મોટા ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-08-09 15:40:58

અમદાવાદમાં થયેલા અકસ્માતમાં દરેક જગ્યા પર તથ્ય પટેલની વાતો થઈ રહી છે. તથ્ય પટેલના અપડેટ અનેક વખત આપવામાં આવી છે ત્યારે આજે તથ્ય પટેલના અકસ્માતને લઈ વાત નથી કરવી પરંતુ એ થાર ગાડીવાળાની કરવી છે. તથ્ય પેટલ દ્વારા જે અકસ્માત સર્જાયો તેમાં 10 નિર્દોષ લોકોના જીવ જતા રહ્યા હતા એટલે તેની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આ બધામાં આપણે થાર ગાડીના અકસ્માત, ગાડી ચલાવનાર સગીરને તો ભૂલી ગયા. અકસ્માત પહેલા થારનો સર્જાયો હતો જેને લઈ લોકો ઉભા હતા ત્યારે તથ્ય પટેલની ગાડી આવી અને લોકોને ઉડાવી લઈ ગઈ.  

થારને ચલાવનાર ચાલક હતો માત્ર 15 વર્ષનો 

અમદાવાદ શહેરમાં 19 જુલાઈની મોડી રાત્રે ઈસ્કોન ફ્લાયઓવર પર તથ્ય પટેલ નામના નબીરાએ 140 કરતાં વધુ ઝડપે કાર ચલાવી અને 10 લોકોને ઉડાવીને જતો રહ્યો. તથ્ય પટેલનો અકસ્માત સર્જાયો તેના થોડા સમય પહેલાં જ ડમ્પર પાછળ એક થાર અથડાઈ હતી. આ અકસ્માતમાં મદદ માટે આવેલા લોકો ત્યાં ઊભા હતા અને એ જ સમયે તથ્યએ પૂરપાટ ઝડપે જેગુઆર કાર લોકોનાં ટોળાં પર ચડાવી દીધી હતી, પરંતુ સૌને હજુ પણ એક જ સવાલ સતાવી રહ્યો હતો કે તથ્યએ કરેલા અકસ્માત પહેલાં જે થાર અથડાઈ તે કોણ ચલાવી રહ્યું હતું? થારના અકસ્માત સમયે શું થયું હતું? ડમ્પર પાછળ થાર અથડાવનાર એક સગીર હતો.


પોલીસ સામે સગીરે કબૂલ્યો પોતાનો ગુન્હો!

એક મીડિયા અહેવાલ મુજબ જ્યારે તે સગીરે પોલીસ સામે નિવેદન આપ્યું ત્યારે કબૂલ્યું કે તેની ઉંમર 15 વર્ષ છે અને હું કર્ણાવતી કલબ પાછળ માતા-પિતા સાથે રહું છું. મારા પિતા સાથે ખેતીકામ કરું છું. આ અગાઉ હું જોધપુર રોડ ખાતે આવેલી એક સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, પરંતુ હું ધોરણ 9માં નપાસ થયો અને મેં ભણવાનું છોડી દીધું છે અને હાલમાં મારા પિતાજીને ખેતીકામમાં મદદ કરું છું. અમારી પાસે એક મહિન્દ્રા થાર ગાડી છે, જે ગાડી મારા પિતાના નામે ખરીદી છે અને એ ગાડીનું મારા પિતા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવાથી મારા પિતા ચલાવે છે. 


આગળ સગીરે કહ્યું કે, મેં ડ્રાઇવિંગ લાઇસન્સ લીધેલું નથી કે લાઇસન્સ કઢાવવાની તજવીજ કરી નથી.એ રાત્રે આઠેક વાગ્યે હું તથા મારા ઘરના તમામ સભ્યો, મારાં બહેન-બનેવી આવ્યાં હોવાથી તેમની સાથે શાંતિપુરા સર્કલ પાસે આવેલી હોટલમાં અમારી ગાડી લઇને જમવા માટે ગયા હતા. એ વખતે ગાડી મારા બનેવી ચલાવી રહ્યા હતા અને રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ ઘરે પાછા આવી ગયા હતા, ગાડી બહાર મૂકી અમે ઘરમાં ગયા હતા. જ્યારે હું એકાદ કલાક ઘરમાં બેસી બહાર નીકળ્યો હતો અને મારા પિતાને પૂછ્યા વગર ગાડીની ચાવી લીધી અને ગાડી લઈ બહાર નીકળ્યો હતો. અને પછી કર્ણાવતી કલબ પાસે બ્રિજ ઉતરતા કાર એક કન્ટેનર સાથે અથડાઈ. 


સગીરના પિતાએ આપ્યું આ નિવદેન 

પિતાએ નિવેદન આપ્યું તે મુજબ "હું બાવળા તાલુકાના કાવીઠા ગામની સીમમાં મારી જમીન આવેલી છે અને ત્યાં ખેતીકામ કરું છું. મારી સાથે મારાં પત્ની રહે છે અને તે ઘરકામ કરે છે. મારે સંતાનમાં બે દીકરા તથા બે દીકરી છે. મારા બે દીકરામાંથી એકના લગ્ન થઈ ગયા છે. આ બન્ને દીકરા મારા ભેગા જ રહે છે. 


પોલીસે આવીને મને અકસ્માત અંગે જાણ કરી - સગીરના પિતા

જ્યારે નાનો દીકરો જેની ઉંમર 15 વર્ષ, 10 માસ છે. મેં ઘરના કામકાજ માટે એક મહિન્દ્રા થાર મારા નામ પર ખરીદેલી છે. આ ગાડી હું ચલાવું છુ અને મારી પાસે ફોર-વ્હીલર ચલાવવાનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે.એ દિવસે રાતે અમે સૂઈ ગયા હતા ત્યારે મારો દીકરો કાર લઈ ગયો હતો અને અચાનક સાડા ચારેક વાગ્યે પોલીસ અમારા ઘરે આવી હતી અને મને જગાડીને કહ્યું હતું કે તમારા દીકરાએ ઇસ્કોન ઓવરબ્રિજ ઉપર એક અજાણ્યા કન્ટેનર પાછળ અકસ્માત કર્યો છે.

ઘરવાળાને જાણ ન હતી તો અને બાળક ગાડીને નિકળી ગયો!

આ બંને નિવેદનમાં એક વસ્તુ કોમન છે, જાહેર થાય છે કે થાર ચલાવનાર  સગીર માત્ર 15 વર્ષનો હતો અને કેટલું ભયાનક કહેવાય કે તેના પિતાને કે પરિવારને ખબર જ નથી કે 15 વર્ષનો છોકરો કાર લઈને રાત્રે નિકળી ગયો છે. સજા તો આ સગીર અને તેના પિતાને પણ એટલી જ થવી જોઈએ કારણ કે બેદરકારી અને અકસ્માતની પહેલી શરૂઆત તો એ 15 વર્ષના નબીરાને કારણે થઈ!



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!