તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી, પુત્રનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ, પિતાની જામીન અરજી થઈ નામંજૂર


  • Published By :
  • Published Date : 2023-08-09 19:50:44

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર બેફામ જેગુઆર કાર હંકારી 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલ અને તેના પિતા  પ્રજ્ઞેશ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ RTOએ તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તે જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલેના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.


અમદાવાદ RTOએ કરી આકરી કાર્યવાહી 


તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે તથ્ય પટેલ આજીવન ગાડી ચલાવી નહીં શકે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને અડફેટે લઈ 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.


જામીન અરજી નામંજૂર


પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થઈ છે. બંને પક્ષે દલીલો ગત સુનાવણીમાં પૂર્ણ થઈ હતી. સરકારી વકીલે ધારદાર દલીલ કરતા કહ્યું હતું કે જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શકયતા છે. પ્રજ્ઞેશ પટેલ પર અન્ય ગુનાઓ પણ હોવાથી જામીન ના આપવા દલીલ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે નવેમ્બર 2020માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.