ઠરાવ વગર TAT પાસ ઉમેદવારોની ભરતી અધ્ધરતાલ, સરકાર સત્વરે નિર્ણય લે તેવી શિક્ષણ મંત્રીને રજુઆત


  • Published By :
  • Published Date : 2023-02-13 21:43:22

રાજ્ય સરકાર દ્વારા TAT પાસ ઉમેદવારોની ભરતી કરવા માટે કોઈ ઠરાવ કરવામાં ન આવતા તેમની ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે. આ માટે TAT પાસ ઉમેદવારોએ ફરી શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ઉમેદવારોએ TATના પ્રમાણપત્રની સમયમર્યાદા વધારવા મુદ્દે પણ ઉમેદવારો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે સરકાર દ્વારા  ત્યારે ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી છે કે TATના પ્રમાણપત્ર સબંધિત ઠરાવ પસાર કરી ભરતી પ્રક્રિયા કરવામાં આવે. ઉમેદવારોએ ધોરણ 9 થી 12 માં 10 હજાર જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગ કરી છે. આ બાબતે અગાઉ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઠરાવ પસાર કરી ઉમેદવારોને આશ્વાસન આપ્યું હતું.  જો  કે આશ્વાસન આપ્યું હોવા છતાં પણ ઠરાવ પસાર ન થતા ભરતી પ્રક્રિયા અધ્ધરતાલ થઈ છે.  


જીતુ વાઘાણીએ કહ્યું પણ TAT ઠરાવ ન કર્યો


ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ઉમેદવારોની માંગણી આ બાબતે ટાટ પાસ ઉમેદવાર  ઉમેદવારોએ તેમની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું કે અમે છેલ્લા બે વર્ષથી શિક્ષણમંત્રીને આ રજૂઆત કરી રહ્યાં છીએ.  અમારી TAT ભરતી TAT વેલીડીટીના ઠરાવના કારણે અટકી છે. જીતુ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી  હતા. ત્યારે તેઓએ માર્ચ 2022 માં TAT પ્રમાણ પત્રની વેલીડીટી વધારવામાં આવી છે તેવું કહ્યું છે. જો કે આજ સુધી તે અંગે કોઈ  ઠરાવ થયો નથી. તેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ ઠરાવ ઝડપથી કરવામાં આવે અને અમારી અટકી પડેલી ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ઉમેદવારોની માંગણી છે. ઉમેદવારો તેમની આ આજીજી સરકાર સાંભળે અને સત્વરે કાર્યવાહી કરે તેવી વિનંતી કરી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.