આજે 1.14 લાખ ઉમેદવારો આપશે TAT-HSની પરીક્ષા, 5 જિલ્લા મથકોના 452 કેન્દ્ર પર યોજાશે પ્રિલિમ કસોટી


  • Published By :
  • Published Date : 2023-08-06 11:17:25

રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ-11 અને 12માં શિક્ષક બનવાની આશા રાખી રહેલા લાખો યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે TAT-HSની પરીક્ષા આજે લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે બપોરે 12થી 3 દરમિયાન શિક્ષક અભિરૂચી કસોટી – ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ  હાયર સેકન્ડરી)  લેવામાં આવશે. જોકે, રવિવારે માત્ર ગુજરાતી માધ્યમના ઉમેદવારોની જ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. જેમાં રાજ્યના 1.14 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ પરીક્ષા રાજ્યના 5 જિલ્લા મથકો પર લેવાશે. પરીક્ષા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 452 સેન્ટર પર 4137 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. રવિવારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટના રોજ હિન્દી તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. TAT-HSની આ પરીક્ષા બપોરે 12થી 3 દરમિયાન કુલ 20 વિષયોની આ ટેસ્ટ આયોજિત કરવામાં આવશે. 


આ  5 જિલ્લા મથકો પર પરીક્ષા


ગુજરાતમાં ઘણાં વર્ષોથી રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ભરતી જ થઈ નથી. જેથી આ પરીક્ષા માટે 1.14 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં 14923, અમદાવાદ શહેરમાં 27177, રાજકોટમાં 22762, સુરતમાં 24255 અને વડોદરામાં 25753 સહિત 114870 ઉમેદવારો નોંધાયા છે. આ પરીક્ષા આજે બપોરે 12થી 3 દરમિયાન રાજ્યના 452 કેન્દ્રોમાં 4137 બ્લોકમાં લેવાશે.


કુલ 200 માર્ક્સની ટેસ્ટ


શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ (TAT-HS)-2023 પરીક્ષા કુલ 200 માર્ક્સની MCQ આધારિત ટેસ્ટ હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે. જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર પરીક્ષા લેશે


શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી-2023 ટીચર એપ્ટિટયુડ ટેસ્ટ TAT-HS-2023 પરીક્ષાના આયોજન બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.


ધોરણ-11 અને 12માં શિક્ષક બનવા માટે કસોટી


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ-11 અને 12માં શિક્ષક બનવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચી કસોટી (ઉચ્ચતર માધ્યમિક)-2023 લેવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજીઓ સ્વીકારવાની કાર્યવાહી ચાલુ હતી ત્યાં સરકારે નવી લાયકાતોનો ઉમેરો કર્યો હતો. જેના પગલે આવેદનપત્રો સ્વીકારવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. જે અનુસાર TAT-HS માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 20 જુલાઈ સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. 


GPSC પેટર્ન હેઠળ પરીક્ષા


સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની TAT-HS પરીક્ષામાં પદ્ધતિ-નિયમો બદલીને GPSC પેટર્ન મુજબની દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરી છે. જેમાં પ્રિલિમ અને મેઈન પરીક્ષા લેવામાં આવે છે. માધ્યમિક શિક્ષક બનવા માટેની TAT પ્રિલિમ અને મેઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટેની TATની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવના૨ છે.


ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી  માધ્યમની અલગ પરીક્ષા


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિષયોની સંખ્યા વધુ હોવાના લીધે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા અલગ અને હિન્દી તથા અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા અલગ લેવાનું નક્કી કર્યું હતું. જે અનુસાર રવિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટેની TAT-HSની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતી માધ્યમની પરીક્ષા પૂર્ણ થયા બાદ 13 ઓગસ્ટે બાકી રહેલા હિન્દી અને અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 


પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે


પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે. જ્યારે 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે. પરીક્ષામાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે. પરીક્ષા માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!