ઈસ્લામિક સ્કોલર તારીક ફતેહનું કેનેડામાં નિધન, પાકિસ્તાન કરતા ભારતમાં ઘણા લોકપ્રિય હતા


  • Published By :
  • Published Date : 2023-04-24 19:56:28

પાકિસ્તાની મૂળના ઈસ્લામિક વિદ્વાન તારેક ફતેહનું આજે સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમની પુત્રી નતાશાએ સોશિયલ મીડિયા મારફતે ફતેહના નિધનની જાણકારી આપી હતી. 73 વર્ષીય ફતેહ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય હતા. તે ઘણીવાર ટીવી ડિબેટમાં જોવા મળતા હતા. તારેક ફતેહ જેહાદના કટ્ટર વિરોધી હતો. તે હંમેશા કહેતો કે બીજાનો જીવ લેવો એ જેહાદ નથી. ફતેહ હંમેશા પાકિસ્તાનની સરકાર અને સેનાનો વિરોધી રહ્યા હતા. તે પોતાને હિન્દુસ્તાની કહેતા હતા. 


ફતેહ પર પાકિસ્તાનમાં હતો પ્રતિબંધ


તારીક ફતેહનો જન્મ 20 નવેમ્બર 1949ના રોજ પાકિસ્તાનના કરાચી શહેરમાં થયો હતો. 1960 અને 70ના દાયકામાં તેઓ ડાબેરી વિચારધારાથી પ્રેરિત હતા. તે દરમિયાન પાકિસ્તાનમાં લશ્કરી શાસન હતું. ફતેહને બે વખત જેલમાં પણ જવું પડ્યું હતું. 1977માં જનરલ ઝિયા-ઉલ-હકે તેમના પર દેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો અને તેમને અખબારોમાં કૉલમ લખવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, વર્ષ 1987માં, તેમણે કેનેડા શિફ્ટ થવાનો નિર્ણય કર્યો.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.