હવેથી તારક મહેતા શોમાં નહીં જોવા મળે ટપ્પુ


  • Published By :
  • Published Date : 2022-12-07 12:09:01

છેલ્લા 14 વર્ષથી સબ ટીવી પર ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ દર્શકોના દિલમાં પોતાની અલગ જગ્યા બનાવી છે. શોના કિરકાદર લોકોને પસંદ આવી રહ્યા છે. પરંતુ છેલ્લા અનેક સમયથી અનેક કલાકારો શોને છોડી રહ્યા છે. ત્યારે ટપ્પુનું કિરદાર નિભાવતા રાજ અનાદકટે પણ શોને અલવિદા કહી દીધું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ અંગેની માહિતી દર્શકોને આપી હતી. પોતાની પોસ્ટમાં લખ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેનો સાથ ખતમ થઈ રહ્યો છે આ એક સારી સફર હતી.


સોશિયલ મીડિયા પર આપી જાણકારી

છેલ્લા અનેક સમયથી ટપ્પુ એટલે કે રાજે શુટિંગ કરવાનું બંધ કરી દીધું હતું. લાંબા સમયથી તે શુટિંગ નતા કરી રહ્યા જેને કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ શો છોડી રહ્યા છે. પરંતુ સત્તાવાર રીતે તેમણે હવે જાહેર કર્યું છે. રાજે કયા કારણોસર શો છોડ્યો તે અંગે માહિતી આપી ન હતી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે કરિયરના ગ્રોથ માટે રાજે આ શો છોડ્યો હોઈ શકે છે. 


અનેક કલાકારો શોને કહી દીધું છે અલવિદા

ટપ્પુએ શો છોડ્યો એ પહેલા અનેક કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. દિશા વાકાણીએ શોને કયારનું અલવિદા કહી દીધું છે પરંતુ હજી સુધી નવા દયાભાભીની એન્ટ્રી શોમાં નથી થઈ. પરંતુ મહેતા સાહેબ, અંજલી ભાભી, રોશનસિંહ સોઠી સહિતના કલાકારોનું રિપેસ્મેન્ટ આવી ગયું છે. ત્યારે ટપ્પુએ પણ શોને અલવિદા કહી દીધું છે. અનેક કલાકારો શોને છોડીને જઈ રહ્યા છે જેને કારણે દર્શકોમાં ધીરે ધીરે શોની લોકચાહના ઓછી થઈ રહી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે