ગૌ હત્યા અંગે તાપી જિલ્લા કોર્ટે આપ્યું નિવેદન, કહ્યું જો ગાય લુપ્ત થઈ જશે, તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જશે


  • Published By :
  • Published Date : 2023-01-23 16:40:10

હિંદુ ધર્મમાં ગાયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર અનેક દેવ-દેવતાઓનો વાસ હોય છે. ત્યારે ગાયને લઈને તાપી સેશન્સ કોર્ટે નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બની છે. કોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે ગાય માત્ર એક પ્રાણી નથી, પરંતુ માતા છે. જો ગૌ હત્યા બંધ કરી દેવામાં આવે તો ધરતીની તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય.


ગાયને લઈ તાપી કોર્ટે આપ્યું નિવેદન    

અનેક લોકો ગાયને માતાનો દરજ્જો આપતા હોય છે. લોકો એવું પણ માને છે કે ગાયની અંદર દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. ત્યારે તાપી સેશન્સ કોર્ટે ગાયને લઈને નિવેદન આપ્યું છે. તાપીની સેશન્સ કોર્ટે કહ્યું કે ગાય માત્ર પ્રાણી નથી પંરતુ માતા છે. ગૌ હત્યા બંધ કરી દેવામાં આવે તો ધરતીની તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય.  જો ગાય દુ:ખી હશે તો આપણું ઘન અને સંપત્તિ ખતમ થઈ જશે. તેના છાણનો ઉપયોગ કરીને બનાવેલા ઘરો પર એટોમિક રેડિએશનની પણ અસર નથી થતી. જ્યારે ગૌમુત્રથી ઘણી બીમારીઓની સારવાર પણ થાય છે.    


આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આપ્યું નિવેદન 

આ સુનાવણી તાપી કોર્ટે ત્યારે કરી જ્યારે મહમ્મદ અમીન નામનો યુવાન ગેરકાયદેસર રીતે 16 ગાયને મહારાષ્ટ્રથી લઈ આવ્યો. તાપી કોર્ટે મહમ્મદ અમીનને ગેરકાયદેસર રીતે ગાય લઈ જવાના ગુનામાં 5 લાખ રૂપિયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારી છે. જજનું માનવું હતું કે જો ગૌ હત્યા અટકાવવામાં આવશે તો પૃથ્વીની તમામ સમસ્યા હલ થઈ જશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.