તન્મયને બહાર કાઢવામાં તો સફળતા મળી પરંતુ તેનો જીવ બચી ન શક્યો


  • Published By :
  • Published Date : 2022-12-10 10:38:20

મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના માંડવી ગામમાં અંદાજીત 55 ફીટ ઉંડા બોરવેલમાં તન્મય ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા રેસ્ક્યુંની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. 84 કલાકથી વધુ બોરવેલમાં ફસાઈ ગયેલા તન્મયને બહાર કાઢવામાં આવ્યો હતો. બોરવેલમાંથી બહાર નિકાળ્યા બાદ તન્મયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો.  

તન્મયને બહાર નિકાળવા રેસ્ક્યુ કરનારી ટીમે ઘણી મહેનત કરી  

મંગળવાર સાંજે પાંચ વાગ્યે તન્મય પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો તે દરમિયાન તન્મય 55 ફીટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. સૂચના મળતા જ એનડીઆરએફની ટીમે અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશનની શરૂઆત કરી. તન્મયને બહાર કાઢવા 30 ફીટની દૂરી પર બીજો ખાડો ખોદવામાં આવ્યો અને તન્મય સુધી પહોંચવાનો પ્રયત્ન કરાયો.

 

શિવરાજસિંહ ચૌહાણે કરી વળતર ચૂકવાની જાહેરાત

84 કલાક સુધી તન્મયને બચાવવાની કામગીરી કરવામાં આવી. ઘણી મહેનત કર્યા બાદ તન્મયને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તેની મૃત્યુ થઈ ગયું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. તન્મયની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી છે. ઉપરાંત તન્મયના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.