તમિલનાડુમાં ભગવા પોશાકમાં આંબેડકરના પોસ્ટર લગાવતા થઈ બબાલ, એકની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-06 22:05:42

તમિલનાડુંના એક દક્ષિણ પંથી સંગઠન હિંદુ મુન્નાનીએ ડો. બી.આર.આંબેડકરની પુર્ણ્યતિથિ પર બંધારણના રચયિતા આંબેડકરને ભગવા રંગના પોશાકમાં બતાવતા વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટરો તમિલનાડુંના તંજાવુર જિલ્લામાં વિવિધ સ્થળો પર લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરોમાં બાબા સાહેબ આંબેડકરને ભગવા કમીજ અને માથા પર તિલક લગાવતા બતાવ્યા છે. તે સાથે જ પોસ્ટરોમાં 'ચલો ભગવા નેતાનું મહિમામંડન કરવા' આ ટેગલાઈન પણ આપવામાં આવી છે.


પોલીસે એક વ્યક્તીની કરી ધરપકડ


આ મુદ્દે વિવાદ વધતા તમિલનાડુંના જ એક અન્ય હિંદુ સંગઠન ઈંદુ મક્કલ કાચીના સ્થાપક અર્જુન સંપતે સવાલ કર્યો કે આંબેડકર એક હિંદુ નેતા છે. જો પોસ્ટરોમાં તેમને હિંદુ પોશાકમાં બતાવવામાં આવ્યા હોય તો તેને લઈ વિવાદ થવો જોઈએ નહીં.  જો કે વિદુથલાઈ ચિરૂથિગાલ કાચી (VCK)ના સ્થાનિક નેતાઓએ આ પોસ્ટરોને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદના આધારે કુંભકોણમ પોલીસે ગુરૂમૂર્તિ નામના એક હિંદુ મુન્નાનીના એક પદાધિકારીની ધરપકડ કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.