Tamil Nadu Train Incident: મદુરાઈ ટ્રેનના પ્રાઇવેટ કોચમાં લાગી આગ, આટલી જીંદગી જીવતી હોમાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-26 12:15:08

થોડા સમય પહેલા ઓડિશાના બાલાસોરમાં એક રેલ્વે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અનેક ટ્રેનો એકસાથે અથડાતા અનેક લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક રેલવે દુર્ઘટના તમિલનાડુમાં બની છે. મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 50 જેટલા લોકો આ ઘટનામાં દાઝી ગયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર જે કોચમાં આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં પ્રાઈવેટ પાર્ટી કોચમાં આગ લાગી છે.  

આ દુર્ઘટનામાં અનેક જીંદગી જીવતી હોમાઈ 

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે એક રેલવે દુર્ઘટના સર્જાઈ છે. શનિવારે વહેલી સવારે લાગેલી આ આગમાં યુપીના 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જે ટ્રેનમાં આ દર્ઘટના સર્જાઈ છે તે ટ્રેન લખનૌથી રામેશ્વર જઈ રહી હતી. ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગી અને આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન મદુરાઈ સ્ટેશન નજીક પહોંચી હતી. ટ્રેનના કોચમાં ભયંકર આગ લાગી. આ દુર્ઘટનામાં અનેક જીંદગી જીવતી હોમાઈ ગઈ જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 



સવારે 5 વાગ્યની આસપાસ બની દુર્ઘટના 

આગની અસર બીજા ડબ્બાઓ પર પણ પડી હતી. કોચમાં ભીષણ આગ લાગવાને કારણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા માટે અનેક  ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટના 5.15 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. 5.45 વાગ્યાની આસપાસ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર ટ્રેનના કોચમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.