સંસ્કૃતિની વાત કરતી સરકારે સંસ્કૃત પાઠશાળાના આચાર્યોની જ ધરપકડ કરી!


  • Published By :
  • Published Date : 2023-02-27 14:39:06

ગુજરાત સરકાર સંસ્કૃત ભાષાને બચાવવા પ્રયત્ન કરી રહી છે તેવી મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાનું રક્ષણ કરતા શિક્ષકોને પણ આંદોલનનો માર્ગ પકડવો પડ્યો છે. પોતાની પડતર માગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સંસ્કૃત મંત્રોનું પઠન કરી વિરોધ દર્શાવ્યો હતો. સાતમા પગાર પંચ આપવાની માગ કરવામાં આવી હતી તે ઉપરાંત શિક્ષણ વિભાગના પરિપત્ર 21-10-2022ને રદ્દ કરવા જેવા વિવિધ મુદ્દાઓને લઈને સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો. 


શું છે સંસ્કૃત શાળાના શિક્ષકોની માગ? 

પોતાની માગને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છેલ્લે લોકો વિરોધનું શસ્ત્ર ઉઠાવે છે. ત્યારે સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ પણ વિરોધનું શસ્ત્ર ઉઠાવ્યું છે. બે વર્ષથી સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાંય આ અંગે કોઈ નિરાકરણ નથી આવ્યું. સંસ્કૃત પાઠશાળાના કર્મચારીઓની ભરતી કરવામાં આવે જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓના અંગ્રેજી અને કમ્પ્યુટર વિષયના ખંડ સમયના અધ્યાપકોની બજેટમાં જોગવાઈ કરી છે છતાં મંજૂરી આપવામાં આવી નથી.  તે ઉપરાંત સંસ્કૃત પાઠશાળાનું બે વિભાગમાં વિભાજન ન કરી ગુરૂકુળ પરંપરાને યથાવત રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. તે સિવાય સાતમા પગાર પંચ આપવાની માગ પણ કરાઈ હતી. 


વિરોધ કરી રહેલા શિક્ષકોની કરાઈ અટકાયત 

સત્યાગ્રહ છાવણી ખાતે સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ વિરોધ કર્યો હતો. સંસ્કૃત મંત્રોનું પઠન કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકાર સમક્ષ ઘણા સમયથી માગ રાખવામાં આવી હતી પરંતુ તેનું નિરાકરણ બે વર્ષથી નથી કરવામાં આવ્યું. ત્યારે વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી છે.          




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!