સંસ્કૃતિની વાત કરતી સરકારે સંસ્કૃત પાઠશાળાના આચાર્યોની જ ધરપકડ કરી!


  • Published By :
  • Published Date : 2023-02-27 14:39:06

ગુજરાત સરકાર સંસ્કૃત ભાષાને બચાવવા પ્રયત્ન કરી રહી છે તેવી મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાનું રક્ષણ કરતા શિક્ષકોને પણ આંદોલનનો માર્ગ પકડવો પડ્યો છે. પોતાની પડતર માગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સંસ્કૃત મંત્રોનું પઠન કરી વિરોધ દર્શાવ્યો હતો. સાતમા પગાર પંચ આપવાની માગ કરવામાં આવી હતી તે ઉપરાંત શિક્ષણ વિભાગના પરિપત્ર 21-10-2022ને રદ્દ કરવા જેવા વિવિધ મુદ્દાઓને લઈને સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો. 


શું છે સંસ્કૃત શાળાના શિક્ષકોની માગ? 

પોતાની માગને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છેલ્લે લોકો વિરોધનું શસ્ત્ર ઉઠાવે છે. ત્યારે સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ પણ વિરોધનું શસ્ત્ર ઉઠાવ્યું છે. બે વર્ષથી સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાંય આ અંગે કોઈ નિરાકરણ નથી આવ્યું. સંસ્કૃત પાઠશાળાના કર્મચારીઓની ભરતી કરવામાં આવે જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓના અંગ્રેજી અને કમ્પ્યુટર વિષયના ખંડ સમયના અધ્યાપકોની બજેટમાં જોગવાઈ કરી છે છતાં મંજૂરી આપવામાં આવી નથી.  તે ઉપરાંત સંસ્કૃત પાઠશાળાનું બે વિભાગમાં વિભાજન ન કરી ગુરૂકુળ પરંપરાને યથાવત રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. તે સિવાય સાતમા પગાર પંચ આપવાની માગ પણ કરાઈ હતી. 


વિરોધ કરી રહેલા શિક્ષકોની કરાઈ અટકાયત 

સત્યાગ્રહ છાવણી ખાતે સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ વિરોધ કર્યો હતો. સંસ્કૃત મંત્રોનું પઠન કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકાર સમક્ષ ઘણા સમયથી માગ રાખવામાં આવી હતી પરંતુ તેનું નિરાકરણ બે વર્ષથી નથી કરવામાં આવ્યું. ત્યારે વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી છે.          




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.