પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સર્જાઈ તંગદીલી, ફાયરિંગ બાદ તોરખમ બોર્ડર કરાઈ સીલ


  • Published By :
  • Published Date : 2023-09-06 18:30:12

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તંગદીલી સર્જાતા તોરખમ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બંને દંશો વચ્ચે થઈ રહેલા ફાયરિંગ બાદ તોરખમ બોર્ડર ટર્મિનલ પરિવહન માટે બંધ કરી દેવામાં આવી છે. સ્થિતિ વણસતા પાકિસ્તાની સેના બોર્ડર પર પહોંચી ગઈ છે. પાક આર્મી પરિસ્થિતીને યથાવત રાખવાના પ્રયાસ કરી રહી છે. તે ઉપરાંત બંને દેશના અધિકારીઓ શાંતિ જાળવવાના પ્રયાસો કરી રહ્યા છે. તોરખમ બોર્ડરના મુદ્દે  બંને દેશો આમને-સામને આવી ગયા છે.  


શા માટે સર્જાઈ તંગદીલી?


તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના પ્રવક્તા અને એક મુખ્ય કમાન્ડરે દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવેશ્યા છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનના કુનાર, નુરિસ્તાન અને બદખ્શાન પ્રાંતને અડીને આવેલો છે. TTP કમાન્ડરે દાવો કર્યો, 'TTPએ ચિત્રાલ જિલ્લામાં ઓપરેશન શરૂ કર્યું છે અને અમે ઘણા ગામોને કબજે કર્યા છે. આ ઝુંબેશ આજે સવારે 4 વાગ્યે શરૂ થઈ હતી. તાલિબાન સૈનિકો ટીટીપી લડવૈયાઓને અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની સરહદ પાર કરવામાં મદદ કરી રહ્યા છે. જેના કારણે બંને દેશોને વિભાજિત કરતી ડ્યુરાન્ડ લાઇન પર ભારે ગોળીબાર થઈ રહ્યો છે.  


તાલિબાનોએ પાકિસ્તાનને આપી ચિમકી 


પાકિસ્તાન દ્વારા તાલિબાન પર કરવામાં આવેલા હુમલા અંગે અફઘાન સરકારે પાકિસ્તાની રાજદૂતને બોલાવીને કડક સૂચના આપી હતી કે જો આગામી સમયમાં આવી કોઈ ઘટના બનશે તો તે પાકિસ્તાન માટે સારું નહીં હોય. તાલિબાનની આ ધમકી પર પાકિસ્તાનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સેનાને કાર્યવાહી કરવાથી રોકી દેવામાં આવી છે કારણ કે આ કાર્યવાહીથી બંને દેશોના સંબંધો બગડશે.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?