તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ‘મિસિસ સોઢી’એ પ્રોડ્યૂસર અસિત મોદી સામે લગાવ્યો આ ગંભીર આરોપ, 15 વર્ષ બાદ શોને કર્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-05-11 17:12:42

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત મોદી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે, ટીવી સિરીયલમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીનો રોલ નિભાવનાર‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી પર જાતીય સતામણી જેવો ગંભીર આરોપ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ શોના અન્ય એક કલાકાર શૈલેષ લોઢાએ પણ નિર્માતા અસિત મોદી પર ફી નહીં ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.


જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી


જેનીફર મિસ્ત્રી બંસીવાલે શોના પ્રોડ્યૂસર અસિત મોદી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે અસિત કુમાર મોદી ઉપરાંત પ્રોજેક્ટ હેડ સોહેલ રમાણી તથા એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ દાખલ કરાવી છે. 


15 વર્ષોથી થઈ રહ્યું છે શોષણ


જેનીફરે જણાવ્યું કે 15 વર્ષોથી થઈ રહેલા શોષણ અંગે જણાવ્યું કે 7 માર્ચે તેમની સાથે કાંઈક એવું થયું કે તે ભૂલી નહીં શકે. તેમણે કહ્યું કે માર્ચ 6 ના રોજ તેમની એનિવર્સરી હતી, જે દિવસે આ ઘટના થઈ. મને ઘરે જવા દેવામાં આવી નહોંતી અને પ્રોજેક્ટ મેનેજર સાથે મળીને મેકર્સે મારી કારને રોકી અને મને ધમકી આપી હતી. મેં કહ્યું કે હું છેલ્લા 15 વર્ષથી સીરિયલમાં કામ કરી રહ્યું છું. તમે મારી સાતે આવું ન કરી શકો, પછી તે લોકોએ મને ડરાવી અને ધમકાવી. આ કારણે મેં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે